Our Mission

Jashu Kapashi’s Message

કહું તો શું કહું?

શું કહું? મને કઈ આવડતું નથી. આવડે છે માત્ર નવકાર

નવકારના ૧૦૦૮ જાપ કળામય રીતે લખવાની હરીફાઈમાં ભાગ લીધો. પ્રથમ નંબર મળ્યો. નવકાર મંત્રની દીક્ષા મળી અને પ્રભાવ શરુ થયો.

પૂજનીય આચાર્યચરીઓના આશીર્વાદ મળ્યા, સંતનો સમાગમ થયો, અગાધ જ્ઞાન મળ્યું, તપસ્વી મળ્યા, શ્રાવક- શારવીકાઓ મળ્યા, હૂંફ મળી, કોના કોના નામ લઉં? ભૂલવાનો ડર નથી, જગ્યા નથી.

હરપળ સાથ નહિ છોડનાર, ધર્મનો ‘ક’ પણ નહિ જાણકાર મુકેશ હવે તો સાચા નવકારની પરીક્ષા લે છે. નવલી બબુ નવસિંચન કરે છે.

નવકાર – પારસમણિ પાસે સહુ લોહચુંબક જેમ ખેંચાઈ આવ્યા અને મને ઉંચકી લીધો.

સહુને સાષ્ટાંગ દંડવત પ્રણામ નવકાર મંત્ર સહુને ફળો એજ આશા સાથે,

આપનો,

જશું કપાશી
ભાવનગર – ગુજરાત ઇન્ડિયા
૦૭-૦૧-૨૦૦૨

નવકાર મંત્ર શું છે?

નમો અરિહંતાણં
હું એવા ભગવાનને નમસ્કાર કરું છું કે જેમણે બધાજ અંતઃ શત્રુઓ, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષનો નાશ કરી નાખ્યો છે.

નમો સિદ્ધાણં
હું એવા બધા જ ભગવંતોને નમસ્કાર કરું છું કે જેમણે આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કર્યો છે.

નમો આયરિયાણં
હું એવા આત્મજ્ઞાની આચાર્ય ભાગવંતોને નમસ્કાર કરું છું કે જેણે મોક્ષ માર્ગ ખુલ્લો કર્યો છે

નમો ઉવ્વજ્ઝાયાણં
હું મોક્ષમાર્ગના આત્મજ્ઞાની ઉપાધ્યાય ભાગવંતોને નમસ્કાર કરું છું
(જેને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે અને જે પોતે આત્મા જાણ્યા પછી શાસ્ત્ર બધાં ભણે ને
પછી બીજાને ભણાવડાવે, એવાં ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું.)

નમો લોએ સવ્વ સાહૂણં
આ જગતમાં આત્મદશા સાધનાર એવાં સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.

એસો પંચનમુક્કારો
ઉપર દર્શાવ્યા પ્રમાણે જે પાંચ નમસ્કાર કર્યા,

સવ્વપાવપ્પણાસણો
તેને બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય.

મંગલાણં ચ સવ્વેસિં
બધા મંગલોમાં,

પઢમં હવઈ મંગલમ્ ।।
સર્વ પ્રથમ મંગલ છે. ।।

Navkar Gallery

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi