પંચ પરમેષ્ઠિની વંદના ત્યારે પૂર્ણતા પામે છે, જ્યારે દરેક પદ સાથે વર્ણસ્મરણ, ગુણસ્મરણ, ઋણસ્મરણ, ભાવસ્મરણ અને ધ્યાનસ્મરણ પૂર્વક નમસ્કાર કરવામાં આવે. આવી વંદના મનને માત્ર પવિત્ર જ નથી કરતી, પરંતુ આંતરિક શાંતિ, આત્મિક ઉન્નતિ અને આનંદ–ઉલ્લાસમાં અપરંપાર વૃદ્ધિ કરાવે છે.

(૧) અરિહંત ભગવંતો…
વર્ણસ્મરણ : શ્વેત વર્ણ
ગુણસ્મરણ : ૧૨ ગુણોથી યુક્ત
ઋણસ્મરણ : તીર્થ સ્થાપનાનું મહાન ઋણ
ભાવસ્મરણ : આપ જેમ નિર્ભય, ક્ષમાશીલ, સર્વજ્ઞ બનવાનો ભાવ
ધ્યાનસ્મરણ : ચિંતામણિ સમ અરિહંતના સ્વરૂપે એકાગ્રતા

(૨) સિદ્ધ ભગવંતો…
વર્ણસ્મરણ : રક્ત વર્ણ
ગુણસ્મરણ : ૮ અનંત ગુણોથી યુક્ત
ઋણસ્મરણ : શુદ્ધ, નિર્વિકારી મુક્ત સ્વરૂપનું આલંબન આપવાનું ઋણ
ભાવસ્મરણ : જન્મ–મરણથી પાર શુદ્ધ સ્વરૂપ મેળવવાનો ભાવ
ધ્યાનસ્મરણ : શરીરરહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે ધ્યાન

(૩) આચાર્ય ભગવંતો…
વર્ણસ્મરણ : પીત વર્ણ
ગુણસ્મરણ : ૩૬ ગુણોથી યુક્ત
ઋણસ્મરણ : ધર્મમાર્ગનો ઉપદેશ કરવાનો ઋણ
ભાવસ્મરણ : આજ્ઞામાં સ્થિર, શીષ્ટાચારવાળા બનવાનો ભાવ
ધ્યાનસ્મરણ : આચાર્યની શાંતિ, શિસ્ત અને તપસ્વી તેજ પર ધ્યાન

(૪) ઉપાધ્યાય ભગવંતો…
વર્ણસ્મરણ : લીલો વર્ણ
ગુણસ્મરણ : ૨૫ ગુણોથી યુક્ત
ઋણસ્મરણ : આગમ–સૂત્રનો બોધ કરાવવાનું ઋણ
ભાવસ્મરણ : શાસ્ત્રજ્ઞાન વધારવાનો અને ગુણાનુવાદ કરવાની ભાવના
ધ્યાનસ્મરણ : જ્ઞાનપ્રકાશ રૂપે ધ્યાન

(૫) સાધુ ભગવંતો…
વર્ણસ્મરણ : શ્યામ વર્ણ
ગુણસ્મરણ : ૨૭ ગુણોથી યુક્ત
ઋણસ્મરણ : સાધનાનું જીવંત આલંબન આપવાનું ઋણ
ભાવસ્મરણ : તપ, ત્યાગ, વિનય અને સમ્યક ચાલ–વચન–માનસ ધરણાનો ભાવ
ધ્યાનસ્મરણ : સાદગી, શાંત, અગુરુ–લઘુવૃત્તિ સ્વરૂપે ધ્યાન

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2025. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi