નવકાર મહિમાનો નહિ પાર


હેમચંદ્રસૂરિજી મહારાજે ઉપદેશ માળા અપરનામ પુષ્પમાલામાં કહ્યું છે કે નવકાર દુઃખને હરે છે. આ લોક અને પરલોકના સઘળા સુખોનું મૂળ નવકાર છે. શ્રીમદ્‌ યશોવિજયજી મહારાજે પંચપરમેષ્ઠિ ગીતામાં કહ્યું છે.

આ જગતમાં નમસ્કાર જેવો અન્ય કોઈ મંત્ર નથી. વળી યંત્રો, વિદ્યા, ઔષધિ ચમત્કારિક ગણાય છે, પરંતુ તે નમસ્કાર મંત્રની સરખામણીમાં કંઈ નથી.

નવકાર એવો મહારત્ન છે કે તે ચિંતામણિથી વિશેષ, કલ્પતરૂથી અધિક કેમ કે નવકાર તો સ્વર્ગ સુખ આપે છે. નમસ્કાર મંત્ર એ કલ્યાણ કલ્પતરૂનું અવંધ્ય બીજ છે. સંસારરૂપી હિમગિરિના શિખરોને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે. પાપભુજંગોને વશ કરવા માટે ગરૂડ પક્ષી છે. દરિદ્રતાના કંદને મૂળમાંથી ઉખેડી નાખવા માટે વરાહની દાઢા છે. સમ્યક્‌ત્વ રત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરતી છે.

શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે. નમસ્કાર પિતા છે, માતા છે, ભાઈ છે, મિત્ર છે.

પ્રકાશ-૧ (નમો અરિહંતાણં)

શ્રી સિદ્ધસેનસૂરિ મહારાજશ્રીએ સરસ્વતી નદીને કિનારે સિદ્ધપૂર નગરમાં માહાત્મય રચેલ છે.
પાંચ મેરૂ સમાન, અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર હો.
પાંચ પદનુ જે મનુષ્ય ભાવપૂર્વક સ્મરણ કરે છે, તેને સંસારનું ભવભ્રમણ ક્યાંથી હોય.
તીર્થંકરના વચનના ૩૫ ગુણોની જેમ પાંચ પરમેષ્ઠિના ૩૫ અક્ષર તમારૂં કલ્યાણ કરો.
અરિહંતના શરણે આવેલ મનુષ્યોને રાજાઓ પણ વશ થાય છે. દેવતાઓ નમસ્કાર કરે છે. ભવનપતિદેવો-આદિ ઝેરી પ્રાણીનો ભય રહેતો નથી. માટે જીવ તથા કર્મનો સંયોગ કર્મપાસથી બચાવનાર શ્રી જિનેશ્વરનું અમે ધ્યાન કરીએ છીએ. તે મનુષ્ય મન-વચન કાયાથી શુદ્ધિ વડે સરળ થઈને ત્રણ ભુવનમાં મુકુટ મણિની જેમ શોભે છે. અને મોક્ષને મેળવે છે. સાત ક્ષેત્રમાં ફળદાયક આ સાત અક્ષરો (નમો અરિહંતાણં) મારા સાતે ભયનો નાશ કરો.

પ્રકાશ-૨ (નમો સિદ્ધાણં)

જ્યાં સિદ્ધભગવંતો પ્રતિષ્ઠા પામ્યા છે ત્યાં જન્મ નથી મરણ નથી.
સિદ્ધ ભગવંતો અમોને સિદ્ધિ આપનાર થાઓ. ત્રણ રેખા અને માથે અનુશ્વાર વાળો ણંકાર જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી ૩ રત્નોથી યુક્ત આત્મા મોક્ષને પામે છે.
ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ આ પાંચ શરીરનો નાશ કરનાર અને પાંચમી સિદ્ધ ગતિને આપનાર નમો સિદ્ધાણંના પાંચ અક્ષરો જન્મ, જરા, મરણ આદિ દુઃખથી રક્ષણ કરો.

પ્રકાશ-૩ (નમો આયરિયાણં)

આચાર્યઃ- જેમના આચાર મનોહર હોય તથા જેમનું જ્ઞાન શિવસંગમ કરાવનાર હોય, જેમણે આચાર્યનું શરણ લીધું છે. તેમને અજ્ઞાનરૂપી અંધકાર નડતો નથી. મન, વચન, કાયાના કષ્ટો હોતા નથી. નમો આયરિયાણંના સાત અક્ષરો સાતે દુર્ગમાં તેઓને નાશ કરનારા થાઓ. ણં કાર-ધર્મ, અર્થ, કામ, વિષે સમાન દૃષ્ટિવાળા છે. તેઓ સજ્જનોમાં શિરોમણી રૂપ થાય છે, એમ સૂચવે છે. ધર્મ, અર્થ, કામ અથવા શત્રુ, મિત્ર, ઉદાસીન રાગ, દ્વેષ, મોહ ધારણ કરાય છે.

પ્રકાશ-૪ (નમો ઉવજ્ઝાયાણં)

નમો ઉવજ્ઝાયાણં સાત અક્ષરોથી મુક્ત આ પદ સાત વ્યસનનો નાશ કરો. ણં કારથી વિનય-શ્રુત-શીલ વગેરે ગુણો મોક્ષ પ્રાપ્ત કરનારા થાય એમ સૂચવે છે. ઉપાધ્યાયનું શરણું લેનાર મનુષ્ય મન વચન કાયા રૂપી ત્રણ દંડ વડે પીડા પામતો નથી. ક્રોધ, માન, માયા લોભ જેવા કષાયથી દંડાતો નથી.

પ્રકાશ-૫ (નમો લોએ સવ્વસાહૂણં)

નમો લોએ સવ્વસાહૂણં-સાધુની સેવા કરનારા મનુષ્યોને વ્યાધિ પીડા કરતી નથી, દરિદ્રતા સતાવતી નથી. સ્નેહીનો વિયોગ થતો નથી. ણં કાર સદા ચારિત્ર પાલનમાં તત્પર એવા મહામુનિઓની ત્રણ મુક્તિ પાલન કરવામાં પાટુતા સુચવે છે. નવ અક્ષરો ધર્મકર્મમાં કુશળ કરો.

પ્રકાશ-૬

જે કોઈ પાંચ સમિતિમાં પ્રયત્નશીલ બની, મુક્તિથી પ્રવિત્ર થઈ આ પંચ નમુક્કારનું ત્રિકાળ સ્મરણ કરે છે, તેને શત્રુ મિત્ર રૂપ બની જાય છે. વિષ અમૃત થાય છે. મંત્રતંત્ર પરાભવ કરી શકાતો નથી, જો શક્ય ન હોય તો પરમેષ્ઠિના પહેલા અક્ષર બનતા “આ સિ આ ઉ સા” મંત્રને યાદ કરીને પણ અનંત જીવો યમના બંધનથી મુક્ત થાય છે. અથવા તો આ આદ્ય અક્ષરોની સંધિ કરવાથી અ+ અ+ આ+ ઉ+ મ =ૐ બને છે. જેવા જાપકરવાથી પણ મોહ વશ થાય છે. જો તેટલું પણ ન બોલાય તો શ્રવણ કરવું.

પ્રકાશ-૭

જિનેશ્વર દેવ મને શરણભુત હો. જિન દાતા છે, જિન ભક્તિ છે, સર્વ જગત જિન છે. જિન સર્વત્ર જયવંતા આ લોક, પરલોકમાં નિર્વિદ છે. મંગળ શક્તિ વરે છે.

પ્રકાશ-૮

આઠ કર્મનો નાશ કરનાર હે સિદ્ધ ભગવંતનું શરણ હો. ૩૬ ગુણવાળા ગણધરોનું શરણ હો. સર્વ સૂત્રોના ઉપદેશક ઉપાધ્યાય ભગવંતનું મને શરણ હો. જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી, રત્નરૂપી ધરાક સાધુનું શરણ હો. પંચ પરમેષ્ઠિ રૂપ નમસ્કાર મહામંત્ર સર્વદા હંમેશા વિનય પામો.

  • નમો અરિહંતાણંના સાત અક્ષરો મારા સાત ભયને દૂર કરો.
  • નમો સિદ્ધાણં જન્મ, જરા, મૃત્યુના સ્વભાવવાળા સંસારથી રક્ષણ કરો.
  • નમો આયરિયાણંના સાત અક્ષર, સાત નરકનો નાશ કરો.
  • નમો ઉવજ્ઝાયાણંના સાત અક્ષર સાત વ્યસનનો ત્યાગ કરો.
  • પંચમ પદ નમો લોએ સવ્વસાહૂણં ધર્મ વિશે નવો ભાવ આપો.
  • નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે.
  • સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે.
  • નમસ્કારની ભક્તિ કરનારનો જીવ આઠભવમાં સિદ્ધ પામે છે.
  • આ લોકને પરલોકમાં નિર્વિઘ્ને સકલ લક્ષ્મીને વરે છે.
  • બુદ્ધિ અને લક્ષ્મીની લીલાને પ્રકાશ કરનાર અને દેવોના સામ્રાજ્યને અને શિવપદને આપનાર
  • આ પાંચ નમસ્કાર જયવંત હો.
  • કર્મ ક્ષય થાય છે.
  • જન્મ વખતે જાપ કરવાથી રિદ્ધિ સિદ્ધિ મળે.
  • સુતા, જાગતા, બહાર જતાં આવતાં, કષ્ટ, ભય હોય ત્યારે, ગમે ત્યારે જાપ કરવો.

જૈન દર્શન એટલે જિન બનવાની સાધનાને સમજાવતું દર્શન ગુરુતત્ત્વના માધ્યમથી ધર્મના, રહસ્યને સમજી, વિચારી અને આચરણમાં ઊતારી પ્રત્યેક આત્માએ પોતાની દિવ્યતાને, ઐશ્વર્યને પ્રગટાવવાનું છે. સાધક સાધનામાર્ગમાં પ્રવેશ કરી પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરે ત્યાં સુધીનો અધ્યાત્મ વિકાસક્રમ ‘નવકાર મહામંત્ર’માં ગર્ભિત રીતે નિહિત છે.

જૈન દર્શન વિશ્વના જીવમાત્રના કલ્યાણ માટેની સાધનાપધ્ધતિમાં વિશેષ રસ ધરાવે છે. એણે એના સાધકો માટે સરસ સાધનાપણ નક્કી કરી આપ્યો છે. ‘નવકાર મંત્ર’ના મહત્ત્વનાં પાંચ પદો નવપદના કેન્દ્રસ્થાને છે. વિશ્વમંત્ર ‘નવકારમંત્ર’ અખિલ વિશ્વના કલ્યાણનો મંત્ર છે. દેવ ગુરુ અને ધર્મ અને ત્રણેની વિશુદ્ધભાવે આરાધના કરવા માટેની બધી જ શક્યતાઓ નવપદમાં રહેલી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપ એ માત્ર જૈનો માટે જ નહિ વિશ્વના કોઈપણ માનવ માટે તારણહાર બની શકે છે.

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi