“રત્નાકર પચ્ચીસી” ની રચના કેવી રીતે થઈ ?
એક બોધદાયક કથા …
શ્રી રત્નાકરસૂરિ વિદ્વત્તાને વરેલા, પ્રખર વ્યાખ્યાતા, અત્યંતજ્ઞાની સંત હતા…….
એમનાં ઉત્કૃષ્ટ કોટિનાં ત્યાગ અને તપ હતાં…. એમની વાણીમાં ઓજસ્ હતું….
પ્રવચન આપતા ત્યારે એમની જીભ પર જાણે સરસ્વતી બિરાજમાન હોય તેવો જનસમુદાય પર પ્રભાવ પડતો..
એકદા વિચરણ કરતાં કરતાં તેઓ બહોળા શિષ્યપરિવાર સાથે ગુજરાતના રાયખંડ વડલી ગામમાં પધાર્યા….
એમની જોશીલીવાણીનો પ્રવાહ લોકોના અંતરને સ્પર્શી જતો… કેટલાક વૈરાગ્ય પામી સંત બન્યા તો કેટલાક વ્રતધારી શ્રાવકો બન્યા…..
સુધન નામનો શ્રાવક
ધંધુકાનો રહીશ, રૂનો મોટો વેપારી રાયખંડ વડલી આવી ધમધોકાર વેપાર કરતો હતો ..
એના હ્રદયમાં માવિત્રો તરફથી મળેલા ધર્મના સંસ્કારોને કારણે ધર્મભાવના તો હતી જ..
તેમણે તપાસ કરી કે કોઈ સંતસતીજી અહીં બિરાજે છે? – તો ખબર પડી કે રત્નાકર સૂરિ પરિવાર સહિત બિરાજે છે……
સુધન પ્રવચન સાંભળવા આવ્યો… સાંભળ્યા બાદ એને સંસાર પ્રત્યે વિરકિત જાગી..
ખારા સંસારસાગર તરફ વહેતા જીવનપ્રવાહને પલટાવી દીધો…
રાતદિવસ બજારમાં રખડનારો સુધન હવે કલાક બેકલાક પણ બજારમાં જતો ન હતો….
દુન્યવી વહેવાર તરફ એને તિરસ્કાર છૂટયો હતો, હવે એને ધર્મનો વ્યવહાર વહાલો લાગ્યો હતો…..
સુધનના હૈયાની સિતાર ઉપર ધર્મનું સૂરીલું સંગીત વહેતું મૂકનાર બીજું કોઈ નહીં પણ એ તરુણયોગી, અધ્યાત્મયોગીરાજ શ્રીરત્નાકરસૂરિ જ હતા….
એમની વાણીએ સુધન પર ગજબનું કામણ કર્યું. સુધનના જીવનનું આમૂલપરિવર્તન થઈ ગયું….
સુધનને મન રત્નાકરસૂરિ માત્ર ગુરુદેવ નહિં, ભગવાન સમાન હતા..
આચાર્યને મન સુધન ભક્ત કે શિષ્ય સમાન હતો. પરસ્પર બન્ને ધર્મસંબંધથી જોડાયેલા હતા….
સુધન સતત ઉપાશ્રયમાં રહી ગુરુ પાસેથી જ્ઞાનધ્યાનનો લાભ મેળવતો અને ધર્મકરણીમાં સમય વિતાવતો…
રત્નાકર સૂરિ પૂર્વજીવનમાં અબજોપતિ શ્રીમંતના પુત્ર હતા. તેઓ એક સોનાની વીંટી પહેરતા. ….તેમાં કેટલાંય સાચા રત્નો જડેલાં હતાં….
સંસાર ત્યાગી અને સંયમી બન્યા પણ રત્નો પ્રત્યેની આસક્તિથી વીંટીમાંથી એ રત્નો કઢાવી, પોતાની સાથે એક સફેદ કપડાની પોટલી બનાવી, તેમાં રત્નો બાંધી દીધા…
રજોહરણની અંદર એ પોટલીને ગુપ્તપણે રાખી લીધી…. રજોહરણનું પડિલેહણ સ્વયં કરી લેતા……
ધીમેધીમે જ્ઞાનમાં પ્રગતિ સાધી. અનેક યુવાનો એમના શિષ્ય થયા…પણ શિષ્યોને ક્યારેય રજોહરણનું પડિલેહણ કરવા ન આપતા ..
શિષ્યો જ્યારે અન્ય ક્રિયાઓમાં વ્યસ્ત હોય, ત્યારે રત્નાકરસૂરિ પોટલી ખોલીને રત્નોને જોઈ લેતાં અને આનંદ પામતા….
એક વાર આચાર્યના હાથમાં રત્નોની પોટલી જોઈ, સુધનની આંખો મીંચાઈ ગઈ… તેનું મન તર્ક વિતર્કમાં ચડયું…..
મારા આવા બહુશ્રુત ગુરુદેવ જરૂર જાણતાં જ હોય કે, “પરિગ્રહ પાપનું મૂળ છે” ….
હજારો શ્રોતાજનોને “પરિગ્રહ પરિમાણ વ્રત” આપનારા ગુરુદેવ રત્નોને પરિગ્રહ જાણ્યા છતાં કેમ પોતાની પાસે રાખતા હશે?
અહો! આખો સંસાર છૂટયો અને આ રત્નો ન છૂટયા? સુધન આવા વિચારોમાં લીન હતો ત્યાં તો સૂરિજીએ પોટલી બાંધી રજોહરણમાં મૂકી દીધી….
અતૂટ વિશ્વાસ, અચલ શ્રદ્ધાથી આચાર્યના ચરણોમાં જીવન સમર્પ્યું હતું…..
અન્ય કોઈએ કહ્યું હોય કે આચાર્યશ્રી રત્નો રાખે છે તો સુધન એ વાત ધરાર ન માનત. કદાચ સુધન એને મારવા પણ દોડત…….
પણ આ તો પોતે પ્રત્યક્ષ જોયું છે….. ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનો પહાડ આજે તૂટી રહ્યો છે…….
સુધન સામાયિક કરવા બેઠો, પણ એ જ વિચારો સતત મનમાં ઘૂમરાયા કરે છે…..
મારા અનંત ઉપકારી, મહાન ઉપકારી ગુરુદેવને મારે શું કહેવું? એ ન મળ્યા હોત તો મારો ઉદ્ધાર કેમ થાત? ધર્મના અમૂલ્ય તત્વઓ કોણ સમજાવત?
મારાથી ગુરુદેવને કાંઈ કહેવાય નહિ……. અવર્ણવાદ બોલાય નહીં…..
એમની ક્ષતિ બતાવવા માટે હું બહુ ટૂંકો પડું છતાં આવા જ્ઞાની ગુરુવર્યના સંયમરત્ન પર પરિગ્રહની મમતાનો પડદો પડયો છે તેને કોઈપણ ઉપાયે દૂર તો કરવો જ પડશે….
એથી હું તેમના ઉપકારનો બદલો વાળી શકીશ. પણ આચાર્યશ્રીને કહેવાય કેમ?
અન્યસંતોને કહેવાથી તો શિષ્યોની ગુરુભક્તિમાં ખામી આવવાની સંભાવના છે…
સમર્થ ગુરુને સન્માર્ગે લાવવા ઉપાય પણ સમર્થ જોઈએ. જેવો તેવો ઉપાય હોય તો અર્થનો અનર્થ થઈ જાય…..
ગુરુની ખામી જોવા છતાં ગુરુ પ્રત્યેના બહુમાનભાવમાં અંશમાત્ર ખામી ન આવવા દીધી…
રોજના નિયમાનુસાર સુધન આવે, વંદન કરે, સુખશાતાની પૃચ્છા કરે, સામાયિક કરે.. એને શ્રદ્ધા છે કે પ્રેમથી કાર્ય થશે,દ્વેષ કે તિરસ્કારથી નહિ…..
પ્રેમ પ્રેમને પ્રગટાવશે…..
રત્નાકરસૂરિને એવું જાણવા પણ ન દીધું કે સુધન મારા સંયમ પ્રત્યે કે સાધુતા પ્રત્યે શંકાશીલ છે…..
દિવસો પર દિવસો પસાર થતા જાય છે, સુધનને ઉપાય જડતો નથી. સીધેસીધું એમ કેમ કહેવાય કે આપ સાધુ થઇને રત્નો કેમ રાખો છો?
શિષ્યોના ગુરુ પ્રત્યેના બહુમાનમાં ફરક પણ ન પડે અને મારા ગુરુ રત્નોનો મોહ છોડી દે એવો કંઇક ઉપાય શોધી કાઢું…
સુધન વિચારે છે કે શાસ્ત્રની એવી કોઇ ગાથા મળી જાય, ગ્રન્થોમાંથી કોઇ એવો શ્લોક મળી જાય જેનો અર્થ કરાવવા ગુરુ પાસે જાઉં, એનો અર્થ કરાવતાં એ શબ્દો એમના હૃદયને સ્પર્શી જાય, પરિગ્રહ પ્રત્યે ધૃણા જન્મે અને પરિગ્રહને ફગાવી દે તો કામ થઇ જાય…
એવો શ્લોક ક્યાંથી મળે? હજારો શ્લોક કંઠસ્થ કરનાર લોકોને એમના અર્થ ભાવાર્થ સમજાવનાર આચાર્યને એક શ્લોકમાં સમજાવવા એ સહેલ નથી, છતાં સુધનને શ્રદ્ધા છે કે જરૂર મને આ કાર્યમાં સફળતા મળશે…
સુધન હૈયાની હામથી, અંતરની ધગશથી, ગુરુ પ્રત્યેની શ્રદ્ધાથી શાસ્ત્રાે ઉથલાવી રહ્યો છે..
કેટલા પુસ્તકો! કેટલાં ગ્રન્થોને જોયા, વાંચ્યા, ઘણા દિવસોની મથામણના અંતે શાસ્ત્રાેના મહાસાગરમાંથી ચાર ચરણવાળો શ્લોક જડયો..
જેમાં ચારહજાર લીંટીના ભાવો ભર્યા હતા. “ઉપદેશમાળા” નામક ગ્રન્થનો એ શ્લોક લઈ સુધન ઉપાશ્રયે આવ્યો…
ગુરુદેવને એ શ્લોક બતાવી તેનો અર્થ પૂછયો. સુધન આ શ્લોક લઈને આવ્યો ત્યારે પણ ગુરુદેવના અન્ય સર્વ શિષ્યો ત્યાં હાજર ન હતા…
ગુરુદેવ રજોહરણનું પડિલેહણ કરતા હતા અને પોટલી ખોલીને રત્નો જોતા હતા… સુધનને જોઈ જરા ખચકાયા, `કેમ અત્યારે ? આ ગ્રન્થ શાનો છે ?
ગુરુદેવ! આ “ઉપદેશમાળા” ગ્રન્થ છે. એમાંથી એક શ્લોકનો અર્થ બરાબર બેસતો નથી. આપને શાતા હોય તો મને એનો અર્થ સમજાવો!’…
મોહનો નશો ઉતરનાર ગારુડીમંત્ર સમો શ્લોક
ઉપરોક્ત શ્લોક આચાર્યના હાથમાં આવતાં જ તેઓ કહે છે – `સાવ સહેલો શ્લોક છે, સુધન!!
પરિગ્રહ રાખનાર સાધુને ઉદ્દેશીને આ શ્લોક કહેવાયો છે..
એનો અર્થ આ પ્રમાણે છે…. સાંભળ ! શ્લોકનો અર્થ………. ધન એ એક, બે નહી પણ સેંકડો દોષોનું મૂળ અને સેંકડો દોષોને ખેંચી લાવનારી જાળ છે, તેથી પૂર્વના ઋષીઓએ એનો ત્યાગ કર્યો છે….
હે મુનિ! એ અનર્થકારી ધનને જો તું પાસે રાખતો હોય તો પછી ફોગટ શા માટે તપ કરે છે?’
‘સુધન! આવો સીધો સાદો અર્થ આ શ્લોકનો છે – સમજાયો અર્થ?’
`ગુરુદેવ! આપે તો બરાબર જ અર્થ કર્યો, પરંતુ મને હજુ એ સમજાતો નથી.’
આચાર્ય કહે છે, `કાલે તને વધુ સારી રીતે સમજાવીશ…..
હજારો ભક્તોના જટિલ પ્રશ્નોનું સેકંડમાં સમાધાન કરનાર ગુરુ પોતાના અંગત ભક્તના મનનું સમાધાન ન કરી શકે તો થઇ રહ્યુંને?
રોજ અર્થ સમજાવે.. સુધન રોજ કહે `હજી અર્થ નથી સમજાતો…છ માસ વીત્યા, પણ ન સમજાયો….
સમતામૂર્તિ ગુરુમહારાજને લેશમાત્ર ક્રોધ નથી આવતો કે કેટલીવાર એના એ શ્લોકનો અર્થ સમજાવું?
ધન્ય ગુરુદેવ ! ધન્ય એમનો અનન્યભક્ત!
છેવટે ગુરુદેવની ઊંઘ હરામ થઇ! ભુખ ભાગી ગઇ! રાત્રે ઊંઘમાં પણ
બકીને જાગી જતા…..
છ છ મહિનાથી સુધનને એક સામાન્ય શ્લોકનો અર્થ મગજમાં બેસાડી શકાતો નથી એનો અમને ભારે ખેદ થાય છે..
હજારો લાખો લોકો મારી વિદ્વત્તાને વખાણે અને હું એક સામાન્ય શ્લોકનો અર્થ મારા અનન્ય ભક્તજનને ગળે ન ઉતારી શકું?
આવી વિદ્વતા શું કામની?’
**જગત ઊંઘતું હતું-સૂરિજી જાગી ગયા
આખું નગર નિદ્રાધીન બન્યું છે, શિષ્યો પણ સ્વાધ્યાય કરીને સૂઈ ગયા છે…
રાયખંડવડલીના એ ધર્મસ્થાનકમાં એક માત્ર આચાર્ય જાગે છે, નિદ્રાદેવી રૂઠ્યા છે, ઘણી રાતો એ શ્લોકના અર્થના ચિંતનમાં વિતાવી છે….
છ મહિના પૂર્ણ થયા. આજે સાતમા માસની પ્રથમ મધરાત! આંખમાં આંસુ આવી ગયા! હું કેમ સમજાવી શકતો નથી?
પેલી રત્નોની પોટલી યાદ આવી. `અહો! હું શું કરી રહ્યો છું? ન જોઇએ એ બહુમૂલા રત્નો?’
પ્રાતઃકાળે સુધન આવ્યો ત્યારે એ પોટલી ખોલી, રત્નો બહાર કાઢી પથ્થર વડે ચૂરો કરવા લાગ્યા, ફેંકવા લાગ્યા. સુધનની ભાવના ફળી, મહેનત કામયાબ નીવડી….
શ્લોકના અર્થના બહાને ધારેલ કાર્ય પૂર્ણ થયું. સુધન શ્રાવક કહે, `ગુરુદેવ ! આ શું કરો છો? આવા કિંમતી રત્નોને ભાંગીને આમ ધૂળ ભેગાં કરાય?’
`સુધન! તારા શ્લોકનો અર્થ આજસુધી બેસાડી ન શક્યો તેનું કારણ આ રત્નો જ હતા…
લાવ તારો શ્લોક!’ એ જ અર્થ ફરીવાર કર્યો. સુધન કહે હવે બરાબર અર્થ સમજાઇ ગયો. ધન સેંકડો અનર્થોનંથ મૂળ છે ….
ગુરુદેવ કૃતાર્થભાવે કહે છે `સુધન! તું મારો શિષ્ય નહિ, પણ મારી શિથિલતાને દૂર કરી સન્માર્ગે લાવનારો મારો સાચો ગુરુ છો!’
એ દિવસથી આચાર્ય જીવનની તમામ શિથિલતાઓને દૂર કરી, પશ્ચયાતાપ કરવા લાગ્યા……
`અહો! આજ સુધી હું સાધુ ન હતો, માત્ર બાહ્ય દેખાવ જ હતો. મારું શું થશે? `ઠગવા વિભુ! આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા!” બહારથી સાધુવેષ! અંદરમાં દંભ! અરે ! મેં લોકોને ઠગ્યા! અજ્ઞાનવશ મેં સમ્યજ્ઞાનદર્શનચારિત્રના રત્નો ગુમાવી આ કાચના ટુકડામાં મમત્વ રાખ્યું…….
રત્નાકરસૂરિએ પોતાના હૈયાની આ વેદના સ્તુતિરૂપે ઠાલવી……
પચ્ચીશ શ્લોકો દ્વારા એમણે પાપનો પસ્તાવો કર્યો અને જગતને `રત્નાકર પચ્ચીશી’ ની ભેટ મળી ….
આ મહાપુરુષની આંતરવેદના જગતને આશીર્વાદરૂપ બની….
ઇતિહાસ કહે છે વિ.સં. 1384માં રત્નાકરસૂરિ કાળધર્મ પામ્યા, પણ એમની અમરકૃતિ આજે જૈનોના મોઢે ગવાઇ રહી છે. જેના દ્વારા અનેક લોકો પશ્ચાત્તાપની પાવનગંગામાં પાપ મેલને ધોઇને શુદ્ધ-વિશુદ્ધ બને છે.
“રત્નાકર પચ્ચીસી”
( Part -1)
મંદિર છો, મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ! ને ઈદ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ!
સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું, ઘણું જીવ તું, ભંડાર જ્ઞાન કળા તણા.
`મંદિર’ આ શબ્દ સંભળાય, લખેલો વંચાય તો તરત જ આપણી કલ્પનામાં સંગેમરમરના દૂધ જેવા ધવલ પત્થરોથી નિર્મિત, ગગનચુંબી ગોળ, ઘુમ્મટવાળું, જેના પર સોનાના કળશો ચમકતા હોય, ધ્વજાઓ ફરકતી હોય,
દીપકોથી ]ળહળતું, ઘંટાવરથી ગુંજતું, ધૂપથી મધમધતું ભાવિકભક્તજનોથી ઊભરાતું તથા દૂરથી સૌને આકર્ષણ કરતું એક પવિત્ર સ્થાન આવી જાય છે.
પરંતુ અહીં શિલ્પ અને સ્થાપત્યના અજોડ નમૂના રૂપ કોઇ સ્થાવર મંદિરની વાત નથી. સૂરિજી તો ચૈતન્યવંતા, મહામના એક જંગમ મંદિરને સ્મરણપટમાં લાવે છે.
“મંદિર છો મુક્તિતણાં” હે પ્રભુ! આપ સાક્ષાત્ મુક્તિના મંદિર છો – મોક્ષના ધામ છો. પરમાત્મા મુક્તિના મંદિર કઇ રીતે બની શક્યા?
વિશ્વના સર્વ દર્શનોની આત્મા અને પરમાત્માવિષયક ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. ઇશ્વરકર્તૃત્વવાદ અને એકેશ્વરવાદમાં માનનારા દર્શનો એમ જ કહે કે ઇશ્વર એક જ છે અને તેજ સૃષ્ટિના સર્જક છે, અન્ય સર્વજીવો એ ઇશ્વરના અંશ છે.
જ્યારે જૈનદર્શનની માન્યતા છે કે “અપ્પા સો પરમપ્પા” આત્મા જ પરમાત્મા બની શકે. ક્યો આત્મા પરમાત્મા બની શકે? જે માનવ આકૃતિને પામ્યા પછી માનવપ્રકૃતિને પામે. પરમાત્મા બનવું એટલે મુક્તિમંદિર બનવું-મુક્તિના ધામને મેળવવું. જેવી રીતે શુદ્ધ ઘીની પર્યાયને પ્રાપ્ત કરવા માટે દૂધને અનેક પ્રોસેસમાંથી પસાર થવું પડે તેમ માનવે મહામાનવ બનવા માટે અનેક પ્રોસેસમાંથી (પ્રક્રિયામાંથી) પસાર થવું પડે.
શ્રી રત્નાકરસૂરિ આગળ કહે છે કે.. માંગલ્યક્રીડાના પ્રભુ! ક્રીડા હંમેશા આનંદદાયક હોય, ક્રીડાના અનેક પ્રકારો છે. પણ અહીં પ્રભુને કહ્યું છે કે આપ માંગલ્યક્રીડાના ધામ છો – સ્થાન છો જે આત્માને આનંદ આપે. અજ્ઞાનીઓની ક્રીડામાં માંગલ્યના ભાવો ન હોય.
મંગલ કોને કહેવાય? `મમ્ પાપમ્ ગાલયતિ ઇતિ મંગલમ્’ – જે પાપને ગાળે તે મંગલ. `મંગમ્ સુખમ્ લાતિ ઇતિ મંગલમ્’ જે સુખને લાવે તે મંગલ. જગતના જીવોના પાપોને ગાળી, સુખ પમાડનાર મંગલકારી ક્રીડાના આપ ધામ છો.
શુદ્ધ આત્મા સત્, ચિત્, આનંદમય હોય. પરમાત્મા આ ત્રણે ગુણયુક્ત હોવાથી માંગલ્યક્રીડાના ધામ છે. અનેક દેવતાઓ પ્રભુની સેવા માટે તત્પર રહેતા હોવાથી
આચાર્ય એ કહ્યું કે `ને ઇદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ!’
શ્રી ભક્તામર સ્તોત્રમાં માનતુંગસૂરિજી કહે છે કે ભક્તિથી દેવલોકના દેવો, ઇદ્રો આપના ચરણોમાં નમે છે. શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમાં સિદ્ધસેન દિવાકરસૂરિ કહે છે કે, દેવેદ્રવન્દ્યવિદિતાખિલવસ્તુસારઃ વિશ્વની સર્વ વસ્તુઓ સારતત્ત્વને જાણનાર હે પ્રભુ પાર્શ્વનાથ! આપ દેવેદ્રોથી વંદ્ય છો. નરેદ્રો અને દેવેદ્રો તેમની વિશિષ્ટ સંપત્તિના અહમ્ને ત્યાગી,
ત્યાગધર્મની સાક્ષાત્મૂર્તિ સમા આપના ચરણોમાં નતમસ્તકે તત્પર રહે છે. વિશ્વના પ્રત્યેક ક્ષેત્રમાં બે વર્ગ જોવા મળે.
1) સેવ્ય વર્ગ ઃ- જેની સેવા કરાય તે. 2) સેવક વર્ગ ઃ- જે સેવા કરે તે. નોકર શેઠની સેવા કરે, અનુયાયીવર્ગ ગુરુજનોની સેવા કરે તેમ જ ભક્તજનો ભગવાનની સેવા કરે. તિર્થંકરનામ કર્મની પ્રકૃતિના ઉદયને કારણે તીર્થંકરોની સેવામાં કરોડો દેવતાઓ હાજર રહે છે. અવધીજ્ઞાનથી જાણી તિર્થંકર પ્રભુ જ્યાં દેશના પ્રકાશવાના હોય છે ત્યાં સમવસરણની રચના કરે છે,
તિર્થંકર ચરણ ધરે ત્યાં લાખ પાંખડીઓનું પદ્મકમળ થઇ આવે, બારગણું અશોકવૃક્ષ, છત્ર, ચામર, દેવદુદુંભિ, પુષ્પવૃષ્ટિ આદિ સર્વ દેવો કરે. આગળ કહે છે કે.. સર્વજ્ઞ છો સ્વામિ! વળી, શિરદાર અતિશય સર્વનાઃ જે સર્વને જાણે તે સર્વજ્ઞ. હે પ્રભુ આપ સર્વજ્ઞ છો!
ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્છાલોક આ ત્રણે લોકમાં રહેલા સર્વદ્રવ્યો અને તેની ભૂતકાલીન, વર્તમાનકાલીન, ભવિષ્યકાલીન સર્વ પર્યાયોને અંજલિજલ પ્રમાણે સ્પષ્ટ અને પ્રત્યક્ષ જાણી શકે તે સર્વજ્ઞ. ચાર ઘનઘાતી કર્મ ખપાવે તે સર્વજ્ઞ. વળી, આપ સર્વ અતિશયોથી વિશિષ્ટતાએ શોભી રહ્યા છો.
. આચાર્ય શ્રી કહે છે કે હે પ્રભુ! આપ સર્વ અતિશયોથી શિરમોર સ્થાને શોભી રહ્યા છો….
==============================
” રત્નાકર પચ્ચીસી “
(Part – 3 )
શું બાળકો મા બાપ પાસે બાળક્રીડા નવ કરે? ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે?
તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી.
શું બાળકો મા બાપ પાસે બાળ ક્રિડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે ઃ-
હે પ્રભુ! જેમ બાળ ક્રિડામાં આનંદ પામનાર બાળક પોતાના માબાપ પાસે કોઇપણ જાતના સંકોચ વિના પોતાના મનમાં જે આવે તે નથી બોલતો?
માબાપ પ્રત્યે અત્યંત વિશ્વાસ અને આત્મિયતાના કારણે બાળક નિખાલસતાથી સરળતાથી તેઓને સારું લાગશે કે ખરાબ એનો પણ વિચાર કર્યા વિના જેમ છે તેમ કહી દે છે, તેમ હું પણ બાલભાવે આપની પાસે જેવું બન્યું તેવું-સર્વથા સત્ય કહું છું, જરા પણ અસત્ય કહેતો નથી.
સરળતા અને સમર્પણતા ભરેલી આ ગાથા ગાતા જ શ્રી ગુરુ ગૌતમસ્વામી મન મંદિરમાં છવાઇ જાય છે.
ગૌતમસ્વામીનો અહંકાર પણ જ્ઞાન પ્રાપ્તિનું કારણ બન્યું, એમનો વીર પ્રભુ પ્રત્યેનો પ્રશસ્ત રાગ પણ ગુરુભક્તિનું અવિસ્મરણીય ઉદાહરણ બની ગયું, એમનો વિષાદ (શોક) કેવળજ્ઞાનનું નિમિત્ત બન્યું. ગૌતમસ્વામીના જીવનના આ અવળા પાસા સવળા ક્યા કારણથી બન્યા? માત્ર એમના હૃદયની સરળતા, નિખાલસતા અને કોમળતાના કારણે જ. તેમજ તમારી પાસ, તારક!
આજ ભોળાભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી- અહીં આચાર્યશ્રી બાળક જેવા ભોળાભાવથી સ્વમુખે પોતાના પાપોની ગર્હા કરીને કર્મોને હળવા બનાવી રહ્યા છે. આમા જરા પણ અસત્ય નથી કહી રહ્યા. “િતન્નાણં તારયાણં” જે સ્વયં તરે છે અને અન્યને તારે છે એવા હે તારક! ભવરૂપી સમુદ્રમાં ડૂબતા જીવોને તારનાર માત્ર આપ જ છો! કરેલા પાપોનો સ્વીકાર કરી સ્વમુખે તે પાપો કહેવા ઘણાં કઠિન છે.
જગતમાં ચાર પ્રકારના જીવો છે (1) અજ્ઞઃ- ભૂલ, દોષ, કે પાપ કરે પણ તેને પાપ તરીકે સ્વીકાર ન કરે તે અજ્ઞ. (2) સુજ્ઞ ઃ ભૂલનો ભૂલ તરીકે, પાપનો પાપ તરીકે સ્વીકાર કરે તે સુજ્ઞ. (3) પ્રાજ્ઞ ઃ ભૂલને ભૂલ તરીકે સ્વીકારી ફરીથી એ ભૂલ ન થાય તેવો નિર્ણય કરનારા. (4) સર્વજ્ઞ ઃ ક્યારેય પણ ભૂલ ન કરનારા. અહીં આચાર્ય શ્રી ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર કરી સુજ્ઞમાંથી પ્રાજ્ઞ અને સર્વજ્ઞ થવાની રાહ પર વાયુવેગે આગળ વધી રહ્યા છે.
==============================
” રત્નાકર પચ્ચીસી “
( Part – 4 )
મ્ે દાન તો દીધું નહિ, ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિ.
એ ચાર ભેદે ધર્મમાંથી, કાંઈ પણ પ્રભુ નવ કર્યુ,મારું ભ્રમણ ભવસાગરે, નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું.
શ્રી તીર્થંકર પરમાત્માએ ગૃહસ્થ જીવનના ચાર ધર્મો બતાવ્યા. દાન, શિયળ, તપ, ભાવ.
રત્નાકર આચાર્ય આ શ્લોકમાં આ ચાર ધર્મો વિષયક વિચારણા કરી રહ્યા છે. આર્ય સંસ્કૃતિની પ્રણાલિકા ચાલી આવે છે કે `પહેલા દાન, પછી દાંતણ.’
શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર નામક ગ્રન્થમાં સુખ અંગે એક સમીકરણ આપ્યું છે કે, “ખાલી થઇને ભરાઇ જાઓ.” ગ્રંથમાં શ્લોક છે કે… ઊંડકડદ્દઊડઃ કડદ્દઊડઃત્ડડઠડદ્મડડ્ડત્ડ, કડદ્દળડઃઠડડઊડર્ત્ડડ્ઢ દાડદ્રળડત્ડદ્મ પ્ કડદ્દઊડડઃદ્યડદ્યત્ક્રડજીડડક્રડડર્દ્મૈંળડટ્ઠ થ્ર્ડણ્ડથ્ઠ્ઠજીડડ્ઢત્ડથ્ડળડણૂડહૃë પ્પ્ અર્થાત્ પરવસ્તુના ત્યાગની રુચિવાળો ભલે પુદ્ગલો વડે અપૂર્ણ ગણાય પરંતુ તે આત્માના જ્ઞાનાદિ ગુણો વડે પૂર્ણતાને પામે છે. પુદ્ગલોના સંયોગમાં જ પુર્ણતાને માનનારો આત્માનંદથી વંચિત રહી જાય છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે, કૂકા ગણવામાં અને કીકાને રમાડવામાં જ જીવનની કૃતકૃત્યતા માનનારા માનવોને ભૌતિકતાના શિખરે શિખરે અશાંતિ અને અજંપાના ભૂતિયા મહેલ છે અને આધ્યાત્મિકતાના પગથિયે પગથિયે શાંતિ-સમાધિના દેવાલયો શોભે છે. “અપૂર્ણ” શબ્દની ખૂબી એ છે કે તેમાં બીજા અક્ષરો ઉમેરવાથી પૂર્ણ ન બને પણ તેમાંથી `અ’ ખાલી કરો તો તુરંત “પુર્ણ” બને. પૂર્ણતા બહારથી લાવવાની ચીજ નથી, તે અંદરમાં અકબંધ પડી છે. તેના ઉપર કચરો છે તે ખાલી કરો. જે બચે તે પૂર્ણતા. દાન ધર્મનું પાલન કરવા શૂન્ય થતાં આવડવું જોઇએ.
કડડદ્યડડદ્ર ધ્ડડન્îડડદ્મ દ્યડડક્રડઠડજ, Iડણુઠડજ ધ્ડડન્îડડદ્મ થ્ડઠડપ્ થ્ડદ્મદ્યડડદ્મ ત્ત્ડખ્ડ દ્ધડડડ્ડરુડળડદ્મ, ળડત્ત્ડદ્ર ત્ર્ડળડડદ્યડડદ્મ ણૂડહૃડઠડ પ્પ્ અર્થાત્ નાવમાં વધેલા પાણીને અને ઘરમાં વધેલા ધનને બન્ને હાથથી ઉલેચી ખાલી કરી શકાય. સંપત્તિને આ રીતે ખાલી કરવાની ભાવનાવાળા જ દાન કરી શકે, લોભ પ્રકૃતિવાળા જીવો
આ દાનધર્મનું આચરણ ન કરી શકે. પ્રાયઃ દાન દેનારને અપેક્ષા હોય જ – કોઇને નામની, પ્રશંસાની કે વાહવાહની કે પછીના ભવમાં દેવાદિ સદ્ગતિઓની. `તલવારની ચોરી કરી, કરે સોયનું દાન, પછી આકાશે જોયા કરે, કેમ ન આવ્યું વિમાન..’
શ્રી રત્નાકર આચાર્ય કહે છે કે, મેં મારી પૂર્વાવસ્થામાં દાનાદિ ચારે ધર્મોમાંથી કંઇ જ નથી કર્યું. જે બીજા પર અનુગ્રહ (ઉપકાર) કરવા માટે પોતાની માલિકીની વસ્તુનો ત્યાગ કરે તે દાન કહેવાય. નહિ તો એવું થાય `મધમાખીએ મધ કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટારુએ લૂંટી લીધું રે….’
. ભય, લોભ અને સ્નેહ – દાનના આ ત્રણ હેતુઓને છોડીને જે દાતા દાન આપે તે મોક્ષગામી બની શકે.
શિયળ પણ પાળ્યું નહિ ઃ તીર્થંકર સ્થાપિત ચારેય તીર્થ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના જીવનમાં શિયળધર્મ એ પાયા સમાન છે. શિયળ એટલે ચારિત્ર ધર્મ. આત્માના સત્ત્વગુણને અને વીર્યને વેડફ્યા વિના આધ્યાત્મિકતાના માર્ગે વાળવું તે ચારિત્ર છે.
પ્રભુ વીરે ચોથા વ્રતમાં શ્રાવકો માટે `સદારસંતોષિએ’ અને શ્રાવિકા માટે `સભરથારસંતોષિએ’ શબ્દ મૂકીને એક મર્યાદા બતાવી છે.
જીવ દુન્યવી સંબંધોને અકબંધ રાખવા નિરર્થક આકાશ પાતાળ એક કરે છે, આ સંબંધો કોઇના ક્યારેય રહ્યા નથી. જીવને પરમાત્મા સિવાય બીજો કોઇ પ્રિયતમ લાગવો ન જોઇએ.
ગૃહસ્થોને પહેલાં એક પતિવ્રતા અને એક પત્નીવ્રત ધર્મ સ્વીકારવા જોઇએ. રત્નાકર આચાર્ય કહે છે કે હે પ્રભુ! ભવભવાંતરમાં મે શિયળ ધર્મનું પાલન ન કર્યું જેથી મારો જન્મ નિષ્ફળ ગયો!. તપથી દમી કાયા નહી ઃ- `
ભાવ વિનાનું દાન માત્ર ધન વ્યય છે, ભાવ વિનાનું તપ માત્ર ભૂખનું દુખ છે અને ભાવ વિનાનું શીલ માત્ર કાયાક્લેશ જ છે.
દાન કરવું હોય તો સંપત્તિ જોઇએ, શિયળ પાળવું હોય તો સત્ત્વ જોઇએ, તપ કરવું હોય તો શરીરશક્તિ જોઇએ પણ ભાવધર્મના પાલનમાં ઉત્તમ વિચારણા, અંતર્મુખતા, સ્થિર ચિત્ત જોઇએ.
==============================
” રત્નાકર પચ્ચીસી “
( Part -5 )
હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડશ્યો મને.
ગળ્યો માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવુ તને?
મન મારું માયા જાળમાં મોહન! મહા મું]ાય છે; ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે.
માનવની આકૃતિ, તેની કૃતિ અને તેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન જોવા મળે. સંસારમાં આત્માના પરિભ્રમણનું મુખ્યકારણ જીવની પ્રકૃતિ છે. જીવની પ્રકૃતિમાં ચાર કષાયો જોવા મળે છે.
ક્રોધ, માન, માયા અને લોભ. આ ચંડાળ ચોકડીના ચાર પેટા ભેદો છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલની. આ કષાયોયુક્ત જેની પ્રકૃતિ છે તે ન શાંતિથી રહે કે ન શાંતિથી રહેવા દે. ભગવાન રામના ઉજળા પક્ષમાં કૈકયી વિચિત્ર હતા જ્યારે રાવણના પક્ષમાં ઉદાર દિલ, ઋજુસ્વભાવના વિભીષણ હતા.
પાંડવ પક્ષમાં દ્રૌપદીના એક કટુ વાક્યને કારણે 12 વર્ષ સુધી પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો જ્યારે યુદ્ધ સમયે કૌરવો માતા ગાંધારી પાસે આશિર્વાદ લેવા ગયા ત્યારે ગાંધારીએ `યતો ધર્મસ્તતો જયઃ’ એમ માથા ઉપર હાથ મૂકી કહ્યું. કૌરવોની કાજળકોટડીમાં ગાંધારી રત્નદિપક સમાન હતા.
ગુમડાના મૂળમાં જેમ આંતરડાની ગરમી કારણ હોય છે તેમ ક્રોધના મુળમાં જીવની વિષયકામના છુપાયેલી હોય છે.
પાંચમાંથી એકાદ વિષયમાં વ્યક્તિ નિષ્ફળ જાય ત્યારે એને ક્રોધ આવે. અગ્નિનો સ્વભાવ ગરમ છે માટે …
આચાર્યે ક્રોધને અગ્નિની ઉપમા આપી છે.
વળી લોભ સર્પ ડસ્યો મને ઃ સર્પદંશથી જેનું મૃત્યુ થાય તેના શરીરમાં જ્યાં જ્યાં ]ેર પ્રસરે એ અંગો કામ આપતા બંધ થઇ જાય અને ધીમે ધીમે હૃદય બંધ પડી જાય, લોભ એ સર્પદંશ જેવું છુપુ ]ેર છે
માટે લોભને સર્પની ઉપમા આપી છે.
ચાર કષાયમાં એ સૌથી છેલ્લે જાય માટે ક્રોધ કરતા લોભ વધુ ભયાનક છે. લોભ સર્વ આત્મગુણોનો વિનાશક છે, છતાં એને નષ્ટ કરવા માટે પહેલાં ક્રોધ વિજય કરવો પડે. જેનામાં લોભ કષાય વધારે હોય તે પરિગ્રહ વધારતાં જ જાય.
લોભકષાયને કારણે પરિગ્રહી ચિત્તવાળો પાંચે વ્રતોનો સામૂહિક ભંગ કરે છે. લોભ કષાયને નાથવા ઉપનિષદમાં કહ્યું છે કે પહેલા ત્યાગ કરીને ભોગવો, ખવડાવીને પછી ખાવ. જેમ જેમ લાભ વધે તેમ તેમ લોભ. લોભ ઘટાડવાનો એક ઉપાય છે તે છે સંતોષ.
`ગોધન, ગજધન, વાજિધન, ઔર રતન ધન ખાન, જબ આવે સંતોષધન, સબ ધન ધૂરિ સમાન.’
આચાર્ય કહે છે કે લોભના પરિણામે મનમાં તેમ જ જીવનની ક્ષણેક્ષણમાં ]ેર ચડી ગયું છે.
હે પ્રભુ! હું તને કેવી રીતે ભજું? ગળ્યો માનરૂપી અજગરે ઃ માનને અજગરની ઉપમા આપી છે,
આચાર્ય કહે છે કે હે પ્રભુ! માનરૂપી અજગરે એવો ભરડો લીધો છે કે વિનયગુણની ઉપસ્થિતિ રહેવા જ નથી દીધી. માન અને વિનય બન્ને પરસ્પર વિરોધી છે, બન્ને સાથે ક્યારેય ન રહે. વિનયગુણને લાવવા અભિમાનના દુર્ગુણને કાઢવો જ રહ્યો
=================================
” રત્નાકર પચ્ચીસી “
( Pary -6)
તમેં પરભવે કે આ ભવે, પણ હિત કાંઈ કર્યુ નહિ, તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહિ.
જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કવાને થયા; આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા.
`ધર્મ વાડીએ ન નિપજે, ધર્મ હાટે ન વહેંચાય, ધર્મે વિવેકે નીપજે, જો કરીએ તો થાય’
હેય, જ્ઞેય અને ઉપાદેય આ ત્રણ વિભાગોમાં જગતની વસ્તુ, વ્યક્તિ અને કાર્યો વિભક્ત થયેલા છે.
પણ આ ત્રણેને યથાર્થરૂપમાં સમજનારા યા તો સમજ્યા પછી તે પ્રમાણે આચરણ કરનારા વિરલ આત્માઓ છે.
અહીં આચાર્ય કહે છે કે મે પૂર્વભવમાં કે આ ભવમાં હિતનું કાર્ય કાંઇ ન કર્યું, કારણ કે જ્ઞેય, હેય, ઉપાદેયની વિવેકબુદ્ધિ જ ન પ્રગટી અને વિવેક તો જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં જરૂરી છે.
અવિવેક અને અસહિષ્ણુતા આ બન્ને તત્ત્વો કૌટુંબિક જીવનની શાંતિને સળગાવીને સાફ કરી નાખે છે. કાર્ય-અકાર્યનો વિવેક અને મન, વચન, કાયાની સહિષ્ણુતા જોઇએ. તો જીવનમાં શાંતિ, આનંદ, પ્રસન્નતા પ્રાપ્ત થાય.
આ બધી વાતો મનનશીલ માનવ જ સમજી શકે તેથી વિશ્વના સર્વ ધર્મોએ માનવભવની મહત્તા બતાવી છે.
પણ માનવભવ મળ્યા પછી આત્મહિત કરવાનો પુરુષાર્થ ન જાગે તો માનવ ભવ પણ નિષ્ફળ ગયો કહેવાય,
રત્નાકર આચાર્ય ભવ આલોચના કરતા કહે છે હે પ્રભુ! મેં પરભવમાં કે આ ભવમાં આત્માનું હિત થાય એવી કાંઇ જ પ્રવૃત્તિ ન કરી, જ્યાં સુધી નIર ધર્મ ન થાય, કર્મનિર્જરાર્થે પ્રવૃત્તિ ન થાય ત્યાં સુધી આત્માનું હિત ન સાધી શકાય.
આ હૂંડાવસર્પિણીકાળનો દુખમ્ નામનો પાંચમો આરો ચાલે છે, મતલબ કે સમય પણ દુખમય અને આત્માની પ્રવૃત્તિ પણ સ્વપરના હિતવિહોણી! તેથી સંસારમાં દુખ જ મળેને ? અલ્પ પણ સુખ કેમ મળે?
જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કરવાને થયા..ઃ સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ જ્ઞાનમાં જોઇ કહ્યું છે કે સંસાર દુખમય છે, પાપમય છે, સ્વાર્થમય છે, રાગ-મય છે, અજ્ઞાનમય છે. આવા સંસારમાં પૂર્વકૃતકર્મોના ઉદયે દુખાનુભૂતિ કરીએ છીએ માત્ર સુખની આભા, સુખનો આભાસ મળે અને એ પણ ક્યારે પલટાઇ જાય તે કાંઇ કહી શકાય નહિ.
છતાં સમયે સમયે નવા પાપો કરતા જઇએ છીએ. આયુષ્ય દરમ્યાન દિવસો, મહિનાઓ અને વરસો પસાર થતા ગયા પણ ન સુખ મળે ન શાંતિ પ્રાપ્ત થાય. કવિ અખો કહે છે કે ઃ
“જયમ ત્યમ કરી સમજવો મર્મ, હું તે શું ચૈતન્ય કે ચર્મ? એ સમજવું પહેલું જને, પછી ઘેર રહેજે કે વને! `અખા’ રામ નથી ઘેર કે વને, જ્યાં મળે ત્યાં પોતા કને!’
કસ્તૂરી મૃગની જેમ નામાં જ કસ્તૂરી હોવા છતાં અજ્ઞાનવશ જંગલોમાં શોધે છે તેમ અજ્ઞાની જીવ આત્મામાં જ શાંતિ હોવા છતાં બહાર જ શોધ્યા કરે છે ને ભવ પૂર્ણ થઇ જાય છે. આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા ઃ મનુષ્યભવની ઉત્તમ, શ્રેષ્ઠતમ બાજી હાથમાં આવી પણ હું હારી ગયો. ભૌતિકક્ષેત્રે મળતી હાર કે જીત વખતે જે સમભાવમાં રહી શકે, હસતાં હસતાં સર્વ પરિસ્થિતિને પચાવી શકે તે જ વ્યક્તિ મળેલ માનવભવની બાજીને જીતી શકે.
આપણને સૌને મનુષ્યભવરૂપી બાજી મળી, જે મનુષ્યભવ પામી અનંતા જીવો સિદ્ધ થયા, તીર્થંકર થયા, કેવળી થયા, શ્રુતજ્ઞાની થયા એ જ મનુષ્યભવની બાજી આપણને પણ મળી, અને એને સાર્થક કરવાની તક પણ મળી. અજ્ઞાનવશ આ તકને આપણે ગુમાવી રહ્યા છીએ. આ શ્લોકમાં આચાર્ય કહે છે કે હે પ્રભુ! હું તો માનવભવરૂપી મળેલી બાજી હારી ગયો મને પરમાત્મા જેવી વિજયમાળા ક્યાંથી સાંપડશે.
============================
” રત્નાકર પચ્ચીસી “
( Part – 7 )
અમૃત ઝરે તુજ મુખ રૂપી, ચંદ્રથી તો પણ પ્રભુ, ભીંજાય નહિ મુજ મન અરે રે! શું કરૂં હું તો વિભુ.
પથ્થર થકી પણ કઠણ મારૂં, મન ખરે કયાંથી દ્રવે ? મરકટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે
તીર્થંકર નામગોત્રના પ્રભાવથી અને વચનાતિશયથી યુક્ત તીર્થંકર પરમાત્માની વાણી પાંત્રીસ પ્રકારની સત્યવચન વાણી હોય છે જે વાણી સાંભળનારા પશુઓ એમના જન્મજાત વેરને ભૂલી જાય, તે વાણીના પ્રભાવથી સમવસરણથી બધી દિશાઓમાં 25-25 યોજન સુધી માર નહિ, મરકી નહિ, સ્વચક્ર-પરચક્રનો ભય નહિ.
દેશના સાંભળનાર મનુષ્યો, તિર્યંચો, દેવો, વાણવ્યંતર દેવો, જ્યોતિષી દેવો, વૈમાનિક દેવો આ બાર પ્રકારની પર્ષદા પોતપોતાની ભાષામાં સમજી શકે એવો તીર્થંકરોનો અતિષય! જાણે પુષક્રાવર્ત મેઘની ધારા! મધુર, મૃદુ, સ્યાદ્વાદથી શોભતી અને ભવ્યજીવોને તારનારી, પરમ હિતકારી, આખા વિશ્વમાં આહ્લાદકારી, સુશાંત, ધીરગંભીર અને અમૃતમય વાણી તીર્થંકરોના મુખચદ્રમાંથી ]રતી હોય છે.
આવી અદ્ભુત, મનમોહક વાણી સાંભળવા સમવસરણમાં આવનાર, ભવ્યજીવો વાણી સાંભળતા જ કાં તો સર્વવિરતી ચારિત્ર સ્વીકારવા તૈયાર થઇ જાય, અથવા દેશવિરતિ ચારિત્ર, શ્રવણપણું તો અવશ્ય સ્વીકારે જ. તિર્થંકરોનું જીવન સ્વયં જીવંતશાસ્ત્ર છે. એમની વાણીમાંથી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અપ્રમાદ અને અનેકાન્તના નાદ ગુંજે છે અને માનવસમાજના એ આધારસ્તંભ છે.
શ્રી રત્નાકર આચાર્ય પોતાનાં પાપોની આલોચના કરતા કહે છે હે વિશ્વવંદ્ય પરમાત્મા ! આપની વાણીનો ઉપરોક્ત અપરંપાર મહિમા છે! જાણે આપના મુખરૂપી ચદ્રમાંથી અમૃત ]રી રહ્યું છે, જે અમરતાના માર્ગે લઇ જાય છે.! તિર્થંકર ભગંવતોની વાણીમાં ક્રોધ, લોભ, ભય, હાસ્ય – મોહનીય કર્મજન્ય આ ચારે કારણો વિદ્યમાન ન હોવાથી એમની ભાષામાં અસત્યનો અંશ પણ સંભવી ન શકે, એ તો સત્ય, પથ્ય, તથ્ય અને પાવનકારી જ હોય તે શંકારહિત વાત છે. આ વાણીને રત્નાકરસૂરિએ અમૃતની ઉપમા આપી છે.
આચાર્ય પ્રભુ આગળ પýાાત્તાપ કરતા કહે છે `હે પ્રભુ! અમારા મનમાં, દ્રષ્ટિમાં, વચનમાં આવા ઇર્ષ્યાના, અદેખાઇના, ક્રોધના, વેરનાં ]ેર ભર્યા છે જેના કારણે પરમાત્માના શ્રીમુખેથી નીકળતી અમૃતમય વાણી અમને સ્પર્ષતી નથી, અસર કરતી નથી.
આપની અમૃતમયવાણીનો ધોધ વહેતો હોવા છતાં મારું મન જરાપણ ભીંજાતું નથી. પત્થરથકી કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે- મનની કઠોરતા બતાવવા આચાર્યએ મનને પથ્થરથી પણ કઠોર બતાવ્યું છે.
વ્યવહારમાં કોઇ કઠોર માણસની વાત કરતાં આપણે કહીએ છીએ કે આ તો કાળમીંઢ પત્થર છે, એ જલ્દી પીગળશે નહિ. `મન લોભી મન લાલચી, મન ચંચલ મન ચોર, મન કે મતૈ ન ચાલિએ, પલક પલક મન ઓર.’ મન અસ્થિર છે, પવનની માફક ચંચળ છે માટે તેનો અટકાવ કે સ્થિરતા સંભવ નથી પણ નિગ્રહ સંભવ છે. મનના નિગ્રહનાં બે સાધનોછે અભ્યાસ, અને વૈરાગ્ય.
શ્રી રત્નાકર આચાર્ય પણ મનની આવી ચંચળતાથી ખૂબ થાક્યા છે મન મર્કટ (વાંદરા) જેવું ચંચળ છે એનાથી હારીને થાકીને આચાર્ય કહે છે મર્કટ સમા આ મન થકી, હું તો પ્રભુ! હાર્યો હવે.. આવું મન અમૃતમય વીતરાગવાણીને ગ્રહણ ન કરી શકે તે સ્વાભાવિક છે. આપણે મનની ભૂમિકાને કોમળ અને સ્થિર બનાવીએ તો ભગવંતના અમૃતમય બોધવચનોને ગ્રહણ કરી શકીએ.
====================================
” રત્નાકર પચ્ચીસી “
(Part -8 )
ભમતાં મહા ભવ સાગરે, પામ્યો પસાયે આપના, જે જ્ઞાન-દર્શન ચરણ રૂપી, રત્નત્રય દુષ્કર ઘણાં.
તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ ! કહું છું ખરૂં કોની કને કીરતાર આ, પોકાર હું જઈને કરૂં ?
અનાદિકાળથી સંસારી જીવો, સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. અનંતકાળ આ રીતે પસાર થઈ ગયો. ગરમ પાણીના તપેલામાં જેમ નીચેના જલકણો ઉપર અને ઉપરના જલકણો નીચે ફર્યા કરતા હોય છે એકથી બીજી બાજુએ જતાં હોય છે. તે પાણી સ્થિર ન હોય જ્યાં સુધી અગ્નિના સંપર્કથી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી એ જલકણો ફર્યા જ કરે છે.
તેવી રીતે કર્મના સંયોગથી જીવો આ સંસારમાં એકથી બીજા સ્થાને ગોળ-ગોળ ચક્રવાતમાં ફરતા રહે છે.ચકડોળમાં બેસેલી વ્યક્તિ ઘડીક ઉપર જાય છે. તો ઘડીક નીચે આવે છે.
તેમ સંસારના જીવો કોઈ વાર ઉંચી ગતિમાં તો કોઈવાર નીચેની ગતિમાં ઉત્પન્ન થાય છે. આ જીવ 84 લાખ ફેરામાં ફરીને માનવ જન્મ લે છે. તે ચારગતિમાં, દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી થયો છે. આ જીવે અનંત જન્મ, મરણ કર્યા છે. તેનું કોઈ લક્ષ નથી. લક્ષ વિનાનું ચાલવું તે રખડવું છે. ભટકવું છે. પૂ.આચાર્યશ્રી કહે છે કે આપ સર્વ લક્ષ વિનાના અનાદિકાળથી ભટકી રહ્યા છીએ.
એટલે એ ભ્રમણા કહેવાય. `ભમતા મહાભવ સાગરે’ હે પ્રભુ! આ સંસારરૂપીસાગરમાં હું પણ અનાદિકાળથી પરિભ્રમણ કરું છું. આ જીવ અનંત અનંત વર્ષોથી 14 રાજલોકમાં જન્મ મરણ કરતો ભટક્યો છે. અર્થાત્ 14 રાજલોકમાં એવું કોઈ સ્થાન નથી. એવું કોઈ કુળ નથી. એવી કોઈ યોનિ નથી જ્યાં આપણે અનંતવાર જન્મ ન લીધો હોય. ને અનંતવાર મર્યા છીએ.
આપણી યુવાવસ્થાની મસ્તીમાં આપણે એમ માનીએ છીએ કે હવે આપણે મરવાનું જ નથી. આપણે ભવભ્રમણના મુસાફર છીએ. કેટલું ભટક્યા ભવસાગરમાં ઘણું પરિભ્રમણ કર્યુ. જેનું કોઈ ચોIસ ગણિત નથી. અધધધ, અનંતા અનંત, કરોડો અબજો ને અબજો વાર જન્મ્યો છું ને મર્યો છું. જન્મ-મરણ કરતા કરતા મહાદુર્લભ તેવો આ મનુષ્ય ભવ મળ્યો છે.
આ કોઈ જબરજસ્ત પૂણ્યયોગે સારા કુળમાં જૈન ધર્મમાં ને શરીરથી સ્વસ્થતા મળી છે. જ્ઞાન દર્શન ચારિત્રરૂપી દુષ્કર એવા ત્રણ રત્નો મેળવવા જીવને અવસર મળ્યો છે. આ ત્રણ સમ્યક્ પ્રકારે આદરવા જીવે પ્રયત્ન કરવો જોઈએ. રોજ રોજ જે ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ તે શ્રદ્ધા સાથે કરવી.
પ્રભુ મહાવીરે કહ્યું છે. `શ્રદ્ધા પરમ દુલ્લહા’. અહીં પૂજ્ય રત્નાકર આચાર્ય કહે છે કે જીવના પ્રમાદના કારણે ત્રણ રત્નો જીવે ગુમાવ્યા છે. આપ જેવા પરમાત્મા મળ્યા,જૈન ધર્મ મળ્યો તોપણ પ્રભુ હું મૂઢ જેવો ન સમજ્યો.
હું કાળમીંઢ પત્થર જેવો છું. હવે હું કોની પાસે જઈ પોકાર કરું. મારી આંતરવ્યથા કોને કહું? કોણ સાંભળશે?
હે નાથ! મને ક્ષમા કરો.
================================================
” રત્નાકર પચ્ચીસી “
(Part -9)
ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા.
વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું; સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું.
`મોહનીય કર્મની પ્રધાનતાવાળા આ સંસારમાં જીવો પ્રાયઃ મોહાસક્ત જ જોવા મળે છે. મળેલ સંપત્તિ, સામગ્રી તથા સ્નેહી સંબંધીઓમાં જીવોની રાગબુદ્ધિ પ્રતિક્ષણે બધતી જાય છે. તેમાં વર્તમાન સમયની ભૌતિકતાથી ભરમારયુક્ત જીવન!.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં હ્યું છે કે, `આ શરીર મોહથી ઘોરાયેલું છે.’ કાળ ભયાનક ચાલી રહ્યો છે. અને માનવ શરીર મન વગેરે શક્તિહીન, નિઃસત્ત્વ બનતા જાય છે. નબળા મનના નિઃસત્ત્વ જીવોને વૈરાગ્ય જાગવું કઠિન છે. લાખ્ખો, કરોડો, અબજો મનુષ્યોની આ વસતીમાં વિરક્ત થયેલા સાધુ બનેલા કેટલા? ખામણામાં સંખ્યા બતાવી છે. મોહાસક્તિ ન છૂટે ત્યાંસુધી વિરક્ત ભાવ ન આવે. જગતના સ્વભાવનો વિચાર કરવાથી સંવેગ જાગે અને કાયાના સ્વભાવનોં વિચાર કરવાથી વૈરાગ્ય જાગે. જગતના સર્વ પદાર્થ ક્ષણિક છે. એમાં આસક્ત થવા જેવું શું છે?
વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જળના તરંગ,
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ?
આ બધા જ ક્ષણિક પ્રસંગોમાં જીવ શું રાચે છે તેમાં આસક્ત થવા જેવું શું છે? આપણાં શરીર અનિત્ય, અશુચિમય, અશુચિમાં ઉત્પન્ન થયેલું છે. આ શરીરમાં આત્માનો વસવાટ અશાશ્વત છે. શરીર દુખ થને ક્લેશનું ભાજન છે. આવી રીતે શરીર સંબંધી વિચારણા કરતાં જીવને વિરક્ત ભાવ આવશે. આપણે પણ જાણીએ છીએ કે કમળની પરાગમાં આસક્ત થયેલો ભમરો, આસક્તિને કારણે બીડાયેલા એવા કમળની કોમળ પાંખડીમાંથી પણ ઉડી ન શક્યો.
સ્નેહ, લાગણી, મમત્વ અને આસક્તિના તંતુ આ સંસારના કોચલાને તોડી બહાર આવવા દેતા નથી, વિરક્ત થવા દેતા નથી. વૈરાગ્ય રંગથી રંગાવવા દેતા નથી. `ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’ હા! સાચે જ, વૈરાગ્યને વેશ સાથે કંઈ જ લેવાદેવા નથી. જેમ સાધુ વૈરાગી હોઈ શકે, તેમ ગૃહસ્થ પણ વૈરાગી હોઈ શકે. વેશ ધારણ કરવાથી સાધુતો બની જવાય.
પરંતુ સાધુત્વનું જે મુલ ચુકવે તેને જ તેના ફળ મળે. વેશ ધારણ કર્યા પછી મન વૈરાગી છે કે પછી શરીર? તે તો તે જ માણસનું માનસ જાણે છે.
આચાર્ય અહીં આત્મનિંદા કરી કહી રહ્યા છે કે હે પ્રભુ! હું મારા જ્ઞાનવૈભવના કારણે લોકોમાં શ્રદ્ધા-ભક્તિનું પાત્ર બન્યો, પણ મારું અંતઃકરણ કહે છે કે `તું ભોળા ભક્તજનોને ઠગી રહ્યો છે’ હે પ્રભુ! લોકોને આા રીતે ઠગવાથી મારી શી દશા થશે? હું પણ દંભી સાધુ બન્યો, મેં મારા સાધુ વેષથી ઘણાને ભરમાવ્યા.’ ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા ઃ આચાર્ય કહે છે કે `મેં ધર્મ ઉપદેશ દ્વારા લોકરંજન કર્યું. ધર્મોપદેશ આપતાં એવો ભાવ નહીં કે લોકો ધર્મ પામે, આત્માનું ઉત્થાન કરે, ગૃહસ્થાશ્રમમાં રહીને આદર્શ શ્રાવક બને અથવા સર્વ વિરતિના માર્ગે આવે!’ લોકોને પણ એવી આદત હોય કે શું મહારાજ સાહેબનું વ્યાખ્યાન!!! અને સંતોના મનમાં જાણ્યે-અજાણ્યે અપ્રગટ લોકેષણાનો ભાવ પડ્યો જ હોય `અમારું ચોમાસું ખૂબ ગાજે, લોકો ખૂબ તપýાર્યા કરે, ધામધુમ થાય, અમારી વાહવાહ થઇ જાય!’ કોઇ વિરલ સાધુસાધ્વી એવા હશે કે જે મનમાં મનમાં મલકાતા ન હોય. વિદ્યા ભણ્યો હું વાદ માટે ઃ વિદ્યાવાન જેમ જેમ વિદ્યા મેળવતા જાય તેમ તેમ અહંકારી બનતા જાય અને જ્ઞાની જેમ જેમ જ્ઞાન વધારે પ્રાપ્ત કરે તેમ તેમ નમ્ર બનતા જાય. વિદ્યાવાન માને કે મારું તે સાચું, હું કહું જ તે બરાબર! જ્ઞાની માને `જે સાચું તે મારું’ જ્ઞાની યથાર્થનું જ કથન કરે.
માટે અહીં આચાર્યશ્રીએ વિદ્યા શબ્દ વાપર્યો છે જ્ઞાન નહિ. આચાર્ય પýાાતાપ કરતા પ્રભુને કહે છે કે `મે મારી વિદ્યા દ્વારા કેટલાની સાથે વાદવિવાદ કર્યાં, કેટલાને હરાવ્યા, કેટલાને પછાડ્યા! અમે મારા અહમ્ ભાવને પોષતો ગયો. હે પ્રભુ! હું મારી આવી કેટલી કથની કહું? કેટલા પાપો પ્રગટ કરું? કારણ કે મારામાં પાપનો ખજાનો ભર્યો છે.
સાધુ થઇને બહારથી દાંભિક અંદરથી રહું : `િવશ્વસ્ત માનવીને ઠગવામાં શું વિશેષતા? ખોળે સૂતેલ સાથીને, હણવામાં શો પરાક્રમ?’ જે શ્રદ્ધાળુ સમાજ અથવા વિશ્વાસુ ભોળા ભક્તજનો છે તેને ઠગવા કે ભરમાવવા બહું સહેલા હોય છે. આચાર્ય શ્રી સ્વનિંદા કરતા કહે છે, `હે પ્રભુ! મેં પણ અન્યને ઠગવાનું અમાનવીય કામ કાર્યું છે! જેમણે મારા જીવનમાં વિશ્વાસ કર્યો, જેણે મારી સાધુતા પ્રત્યે શ્રદ્ધા કેળવી, સાધુ માનીને મારી સેવા, ભક્તિ, વૈયાવચ્ચ કર્યા તેમને જ મેં ઠગ્યા!!!! ખોટા ભ્રમમાં નાખ્યા !!!
હે પ્રભુ! શ્રદ્ધાળુને ઠગવામાં મેં મારો અનંતસંસાર ઊભો કરી દીધો. હું મારી કેટલી કથની કહું!!???”
====================================
” રત્નાકર પચ્ચીસી “
(Part -10 )
મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને;
વળી ચિત્તને દોષિત કર્યુ, ચિંતી નઠારું પરતણું
, હે નાથ! મારૂં શું થશે? ચાલાક થઈ ચૂક્યો ઘણું.
જૈન દર્શને નવતત્ત્વનું નિર્માણ કર્યું. તેમાં મુખ્ય તત્ત્વ ચૈતન્યયુક્ત તત્ત્વ હિતાહિતની ભેદબુદ્ધિ ધરાવતું છે.
સમસ્ત જીવ સૃષ્ટિમાં જીવતત્ત્વની પ્રધાનતા છે. સર્વોપરિતા છે. કારણ કે અખંડ જ્ઞાનગુણ જીવતત્ત્વમાં સદાને માટે વિદ્યમાન હોય છે. સુક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થતા જીવને પણ આંશિક જ્ઞાનગુણ હોય છે જો ન હોય તો તે જીવ મરી અજીવ થઇ જાય. 84 લાખ જીવયોનિમાંથી જો તેનું વિભાજન કરીએ તો `52′ લાખ યોની એવી છે કે જેને માત્ર એક સ્પર્શેદ્રિય જ મળી છે.
કેવો કર્મોદય!!! જેમ ફળ પાકે કે તેમાં મધુરપ આવે. તેમ વ્યક્તિ ગુણોથી પરિપક્વ થાય ત્યારે મધુરવાણી બોલી શકે. મધુર જ બોલવું જોઇએ એ શ્રાવકોનો એક ગુણ છે. નિંદિત બોલવાથી કર્મ બંધન થાય. પુજ્યશ્રી રત્નાકર આચાર્ય કહે છે `મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઇને’
જ્ઞાનીઓ કહે છે કે દોષો જ જોવા છે તો પાતાના જુવો. આપણે શા માટે ઉલટું કરી રહ્યા છીએ! દોષ દૃષ્ટિ વાળા બીજાના રાઇ જેવડા દોષને મેરૂ જેવડો મોટો કરી બતાવે છે અને કદાચ ગુણ દેખે તેમાંય પોતાનો સ્વાર્થ જ સમાયો હોય છે. દુર્યોધનને કોઇ રાજાઓમાં ગુણ ન દેખાયા. જેમ માખી પાસે ચંદન મુકો પણ તે તો એંઠવાડ જ પસંદ કરશે તેમ કેટલાક લોકો નિંદાના રસમાંજ મ્હાલતા હોયછે.
આચાર્ય કહે છે કે જીભ તો પ્રભુના ગુણ ગાવા માટે મળી છે. ને આ નેત્રો તો રોજ સવારે ઉગતે પ્રભાતે મોક્ષ આપવાને શક્તિમાન એવા પ્રભુના દર્શન માટે મળ્યા છે. પણ આ નેત્ર તો મેં પરનારીમાં લપેટાઇને નિંદીત કર્યા છે. હાલમાં, જ્યાં પ્રભુ છે ત્યાં આપણે પહોંચી શકતા નથી કે તેમની દેશના સાંભળી શકતા નથી પણ જ્ઞાનીઓએ તેના માટે શાસ્ત્રાે અને આગમોની રચના કરી છે, આ નેત્રો શાસ્ત્રાે અને આગમોનો અભ્યાસ કરી વૈરાગ્ય મેળવવા હેતુ મળી છે.
આજે પ્રભુ ભલે દેહ રૂપે અહીં નથી પણ તેમના અક્ષરદેહરૂપી તો તે આપણી સાથેને સાથે જ છે તેવી શ્રદ્ધા આપણામાં હોવી જોઇએ. આચાર્ય કહે છે કે, હે પ્રભુ! મારી આંખોને હું પવિત્ર ન રાખી શક્યો, નિંદિત, કલંકિત, મલિન બનાવી દીધી. વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારૂં પરતણું ઃ માણસને મન મળ્યું છે જેનાથી સારૂ કે નઠારું બન્ને વિચાર કરી શકાય. મારું જ ભલું થાય તે અધમાઅધમ, અમારું જ ભલું થાય તે અધમ, આપણું ભલું થાય એ મધ્યમ અને સૌનું ભલું થાય એમ ઇચ્છનારો-ઉત્તમ.
દરેક તિર્થંકર ભગવંતોનો આત્મા તેમના આગલા ત્રીજા ભવમાં એવી ભાવના ભાવે કે “સવિ જીવ કરું શાસન રસી એ ભાવના ઉર વસી’ આવી ઉત્તમ ભાવનાના કારણે તેઓ તિર્થંકર નામગોત્ર ઉપાર્જન કરે. કષ્ટ આપનારનું પણ ભલું ઇચ્છવું એ ઉત્તમ ભાવનાની પરાકાષ્ઠા ગણાય. પ્રતિદિન ધર્મી સાધક સૌના સુખ, સમતા, શાંતિ, દિવ્યતા અને ભવ્યતાની જ કામનાકરે. માઠું ચિંતવનારનું તો મન દુષિત થાયજ.
બીજાનું અહિત થાય એવું વિચારવા માટે સૌ પ્રથમ આપણે આપણાં મનને દુષિતક કરવું જ પડે. આચાર્ય કહે છે કે હે પ્રભુ! મેં પણ મારા ચિત્તને બીજાનું અનિષ્ટ બૂરું ઇચ્છીને દૂષિત કર્યું, અને પછી કહે છે હે નાથ! મારું શું થશે? ચાલાક થઇ ઘણું ચૂકી ગયો. આટલા મોટા આચાર્ય! શાસ્ત્રાેના જ્ઞાતા, આ બધું શ્રુતજ્ઞાન કંઇ બુદ્ધિમત્તા વિના મળે? આટલી બુદ્ધિમતા આટલી ચાલાકી છતાં હું ચૂકી ગયો. સામાન્ય વ્યક્તિ ભૂલ કરે તો ક્ષમ્ય ગણાય પણ આવી બુદ્ધિમત્તાના ધારક આચાર્ય! એમની ભૂલો હવે એમને ખટકી રહી છે.
આ બધા કર્મબંધનના ફળ ભોગવવા પડશે માટે પýાાત્તાપ કરી ખુલ્લાદિલે પાપો પ્રગટ કરી, પાપોથી હળવા થઇ રહ્યા છે. અને પાપોની આલોચના કરી રહ્યા છે.
=========================================
” રત્નાકર પચ્ચીસી “
( Part -11 )
કરે કાળજાને કતલ પીડા, કામની બીહામણી, એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી;
તે પણ પ્રકાશ્યું આજ લાવી, લાજ આપ તણી કને, જાણો સહું તેથી કહું, કર માફ મારા વાંક ને.
અનંત સંસારના પરિભ્રમણમાં ભિન્ન ભિન્ન ભવોમાં જીવે જે કર્યું છે તેનું પુનરાવર્તન કરવા માટે આ મનુષ્યભવ નથી.
પૂર્વના ભવોમાં શું કર્યું છે!
મનુષ્ય સિવાયની ત્રણ ગતિમાં પ્રાયઃ કરીને જ્યાં જ્યાં જન્મ ધારણ કર્યો છે ત્યાં આહાર પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યા. એના માટે હિંસક પ્રવૃત્તિ પણ કરી. વળી ભય મૈથુનની સંજ્ઞાઓનું સેવન કર્યું અને નિંદ્રા કરી. હે પ્રભુ! હું પણ કામની તલપથી પીડા પામ્યો, વિટંબણા પામ્યો.
અનંત ભૂતકાળમાં અવિવેકના ભવોમાં તો વિષયોને સુખના કારણ માન્યા. પરિણામે હું દુખી થઈ વિટંબણા પામ્યો તથા અત્યારે આ માનવભવમાં વિષયોમાંજ સુખી માની આસક્ત રહું છું તેથી એનું પરિણામ દુખમાં જ આવશે.
વિવિધ વિષયોમાં હું અંધ બન્યો. જેમ જનમથી અંધ વ્યક્તિને જન્માંધ કહેવાય, તેમ હું રાગમાં રાગાંધ મોહમાં મસ્ત ને મહાંધ, કાનમાં ગૃદ્ધ તે કાનાંધ, વિષયમાં આસક્ત તે વિષયાંધ, લોભમાં લીન તે લોભાંધ, ક્રોધથી ગ્રસ્ત તે ક્રોધાંધ કોઈ સ્વાર્થમાં મસ્ત રહે તે સ્વાર્થાંધ.
આમ વિષયોમાં લીન રહેવાથી વિવેક બુદ્ધિ નથી રહેતી.
હે પ્રભુ! આમની સમક્ષ મારી કરણી રજુ કરતા મને લાજ આવે છે. છતાં લજ્જાવાન બનીને, માર્ગાનુસારી બની છદ્મ સ્થળ થઈ થયેલી ભૂલોને કબુલ કરું છું. આપ તો પ્રભુ સર્વ જાણો છો. તો કૃપા કરી હે નાથ! મારા પાપોને ક્ષમા કર.
હે પ્રભુ! હું પાપી હોવા છતાં મેં મારી જાતને ધર્મમાં ઓળખાવીને જે ભૂલ કરી છે તે માટે મને ધિIાર છે. હે પ્રભુ! મારા આ ક્ષતિયોની તું મને કૃપા કરી ક્ષમા કર.
હું તારા ચરણોમાં નમીને ક્ષમા યાચું છું. કામ કાંટા સમાન છે. કામ વિષ સમાન છે. કામી દુર્ગતિને પામે છે. કામનું પરિણામ સારું તો નથી જ. કારણકે વિષયસુખમાં કદી તૃપ્તિ નથી. ઘણાં બધાં ભોગ ભોગવવા છતાં અતૃપ્તિ ચાડી ખાતી હોય છે. સંતોષ જ નથી. તે ક્ષણિક સુખ શું કામનું! આવા વિષયોમાં હું અંધ બન્યો.
કહેવાય છે કે ઘુવડને દિવસના દેખાતું નથી. રતાંધળાને રાત્રિના દેખાતું નથી. કિન્તુ કામાંધને તો રાત્રિ-દિવસ ક્યારેય પણ દેખાતું નથી. ઈંધણ નાખવાથી જો અગ્નિ તૃપ્ત થતો હોય.
સાગરમાં જો નદીઓ પાણી સતત ઠાલવ્યા કરે તોય સાગર પૂર્ણ ભરાતો નથી. હે વિભુ! હું કામાંધ બન્યો. ને તે કારણોથી હું ઘણા પ્રકારની વિટંબણા પામ્યો.
ઘણી મુસીબતો, અપકિર્તીને દુખના દાવાનળમાં હું સળગ્યો. છતાં હે પ્રભુ ! આ જ્ઞાન વિહોણા તેવા મેં વિષય સુખમાં લુપ્ત થઈ તે સુખને સર્વસ્વ માની બેસવાની મૂર્ખતા મેં કરી.
હે પ્રભુ! હું કેવો જડ! કેવો લજ્જાવિહોણો મેં વાસના રહિત તેવા મહાન સંતોના જીવનમાંથી કાંઈ શીખ્યો નહિ. તેનાં સંયમના અદ્ભુત ગુણોનું મેં ચિંતન ન કર્યું કે મેં જોવાનો પ્રારંભ સુદ્ધાં ન કર્યો. પ્રભુ! આવા આ ઘોર પાપીને મુઢને તું કૃપા કરી ક્ષમા આપ.
હે! નાથ! તું જ મને બચાવી શકે તેમ છે. પ્રભુ! આપ તો વિતરાગ દેવ છો. ક્ષમાવીર છો, તેની જે ભૂલ કબૂલ કરીને તારા ચરણ કમલમાં જે શીષ ]ષકાવી સાચો પýાાતાપ કરે છે તેને તું હે નાથ! ક્ષમા કરે છે. તારા ગુણોનો કોઈ પાર નથી.
હે નાથ! હું ભૂલને કબુલ કરું છું ને હવે પછી તેવી ભૂલ કદી નહિં કરું. પ્રભુ મને માફ કર, મને બચાવી લે. મને ઉગારી લે. હે પ્રભુ! હું ગુનેગાર છું. પાપકર્મોને કરનારો છું. મને જ્ઞાન આપો, ક્ષમા આપો.
હે નાથ! મને માફ કરો. જન્મોજન્મ સુધી તારો સેવક બની રહીશ. જન્મોજન્મ તારો ભક્ત થઈ રહીશ.
==========================
” રત્નાકર પચ્ચીસી “
( Part -12 )
નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો વડે, હણી આગમોની વાણીને;
કુદેવની સંગત થકી, કર્મો નકામા આચર્યા, મતિભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મેં ગ્રહ્યા.
વિશ્વના તમામ જીવો પ્રગતિ ઈચ્છે છે. તે સાંસરિક હોય કે ધર્મક્ષેત્ર હોય. પ્રગતિ તરફ માણસોની કૂચ અવિરત ચાલુ રહી છે.
સાંસારિક સિદ્ધિ હાંસલ કરવા ત્રણ સોપાનો છે. 1) શક્તિ 2)બુદ્ધિ 3) સિદ્ધિ. પોતાની શારિરીક શક્તિને કામે લગાડી બુદ્ધિમતાના જોરથી આગળ વધે છે. અંતે સાંસરિક, ભૌતિક સિદ્ધિ હાંસલ કરી મનમાં આનંદ માણે છે. તેવી જ રીતે ધાર્મિક યા આધ્યાત્મિક સિદ્ધિ હાંસલ કરવાના
પણ ત્રણ સોપાન છે. 1) શાંતિ, 2) બોધિ, 3) શુદ્ધિ. ધર્મી જીવને સંજોગવસાત્ આવતા સુખ દુખના પ્રસંગોમાં મનમાં શાંતિ જ હોય એ સમ્યક્ત્વ બોધિબીજને પ્રયત્નપૂર્વક મેળવીને જ જંપે. અને એના જીવનમાં શાંતિ અને બોધિ પ્રાપ્ત થાય. અને અંતે આત્મશુદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય.
પૂર્વ જન્મની સાધના, પૂર્વ ભવોનું પુન્ય એકત્ર થાય ત્યારે જીવને સો ટચના સોના જેવો નગદ જૈન ધર્મ પ્રાપ્ત થાય. વિશાળ અને ઉદાર એવું આ ધર્મ ક્ષેત્ર મળી ગયા માત્રથી સિદ્ધિ હાંસલ થઈ જતી નથી. પરંતુ સોપાનોથી સિદ્ધિ મળે છે.
નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને. જૈન ધર્મનો અપાર મહિમાવંત, અલૌકિક શક્તિ-વંત, અચિન્ત્ય, બલપ્રદ, કષ્ટભંજક, શાંતિદાયક, મહામંત્ર તેવો નવકારમંત્ર આપણને પ્રાપ્ત થયો છે.
પરંતુ ફલિભૂત ન થયો. કારણ એ છે કે આપણે તેના પર અથાગ શ્રદ્ધા કેળવી નહિ. આ મંત્ર ગત્ જન્મોમાં પણ આપણને મળ્યો હશે. કિન્તુ આ જન્મમાં ગળથુંથીમાંથી જ નવકાર મંત્રનો પ્રભાવ આપણને માતા-પિતા તરફથી જાણવાનો મળ્યો.
જે બાળપણથી જ સંસ્કારમાં તેનો સાર સમજવાનો મળ્યો. છતાં આ મંત્ર સિવાય અન્ય મંત્રો શીખ્યા ને તેના ચમત્કારમાં શ્રદ્ધા રાખી. પરંતુ આપણને મળેલું ચિંતામણી રત્નની કિંમત આપણે પોતે જ ન કરી શક્યા. અને નવકાર મંત્રનું હાર્દ ને મર્મને આપણે ન પામી શક્યા.
નવકારમંત્રની મહત્તા સમજાવતા વિદ્વાનોએ કહ્યું છે કે નવકાર જેવો મંત્ર, પર્વતોમાં ગિરિરાજ તથા દેવોમાં વીતરાગદેવ. નવકારમંત્રની અન્ય મંત્રો જોડે તુલના ન કરી શકાય. આ પૃથ્વી પર હીરા-માણેક, મોતી, ચંદન જેવા સુગંધી પદાર્થો સીસમ, સવન, કેસર જેવી અન્ય ઔષધી કિંમતી હશે છતાં આ મંત્ર જેવી મુલ્યવાન વસ્તુ આ વિશ્વમાં બીજી કોઈ નથી. તે સમજી લેવું પડે.
શબ્દોનો પ્રભાવ હોય છે. તેની ગોઠવણ અને રચનાને કારણે તે પરિણામ આપનાર બને છે. જેમકે આ કાળમાં મહાત્મા ગાંધીના શબ્દો `ભારત છોડો’ `ક્વીટ ઇન્ડિયા’ આ શબ્દો સ્વતંત્રતાની ચળવળમાં પ્રભાવિત હતા. તેવી રીતે હજારો-લાખો મંત્રોની અપેક્ષામાં નવકાર મંત્રની શબ્દોની ઇમારત્ અદ્ભૂત છે. તે ચિંતન કરવા જેવું છે.
સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂર્વનો સાર, એના મહિમાનો નહિ પાર એનો અર્થ અનંત અપાર’ હે પ્રભુ! મહિમાવંત, અલૌકિક, દિવ્ય શક્તિ ધરાવતો મહામંત્ર મળ્યો પરંતુ સાથે દુન્યવી અન્યધર્મોના ભિન્ન ભિન્ન મંત્રો પણ વાંચવાના મળ્યા, સાંભળવાના મળ્યા છે.
ખોટું જેમ વધુ ચમકે છે તેમ તેવા તત્ત્વોના આશરો લઇ નવકારમંત્ર પર શ્રદ્ધા ન રાખી, ને ખોટો માર્ગ પકડી અન્ય તત્ત્વો પર નજર રાખી.
તેથી હે પ્રભુ! હું કેવો મુર્ખ તેનો પýાાતાપ આપ સમક્ષ રજુ કરુ છું ને આવા ગેરઉપયોગી વર્તનથી હું આપની ક્ષમા યાચું છું હે પ્રભુ! મને માફ કરી દે!
આગમોનું મહત્ત્વ હું ન સમજી શક્યો, પ્રભુ કુશાસ્ત્રાેના વાક્યો વડે મે આગમોની વાણીની અશાતના કરી. તિર્થંકર પ્રરૂપિત જિનાગમોમાં વિશ્વભરના સમસ્ત જીવસૃષ્ટિના પ્રüાાેના સમાધાન ભર્યા છે. જિન આગમોને શાસ્ત્રિય ભાષામાં નિર્ગ્રંથ પ્રવચન પણ કહેવાય છે. આગમોની ભાષા એટલે સત્ય, સર્વશ્રેષ્ઠ, કેવલિપ્રરૂપિત, પરિપૂર્ણ, અત્યંતશુદ્ધ, માયા આદિ શલ્યોને કાપનાર, સિદ્ધિ, મુક્તિ અને નિર્વાણનો માર્ગ બતાવનાર.
સર્વ દુખોનો નાશ કરનાર.
વિશ્વમાં આનાથી શ્રેષ્ઠ આગમો શાસ્ત્રાે કયા હોય શકે?
પ્રભુ આવા અજોડ આગમોને હું ન જાણી શક્યો તે કેવું હું મુઢ ! મને ક્ષમા કર.
પ્રભુ ! મને ક્ષમા કર.
========================================
” રત્નાકર પચ્ચીસી “
( Part – 13/14 )
આવેલ દૃષ્ટિ માર્ગમાં, મૂકી મહાવીર આપને, મે મૂઢધીએ હૃદયમાં, ધ્યાયા મદનના ચાપને,
નેત્ર બાણો ને પયોધર, નાભિ ને સુંદર કટિ, શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ.. (13)
અનંતા અનંત પુણ્યની રાશિ એકત્ર થાય ત્યારે આ ભવમાં મહાવીરસમા દેવ મળ્યા જેમને મનમંદિરમાં, હૃદયના સિંહાસન પર વાણીના હિંડોળે, સ્થાપિત કરવાના છે. દુખ કાળમાં આ એક માત્ર આધાર છે.
અફાટ સમુદ્રના પાણીમાં એક જહાજ જઇ રહ્યું છે તેના પર એક પક્ષી બેઠું છે. ચારે તરફ પાણીને પાણી છે. પક્ષીને ઉડવાની ઇચ્છા થાય છે જો તે ઊડીને જાય તો પણ તેનો બેસવાનો આધાર આ જહાજ માત્ર છે. કિનારો ક્યાંય ન દેખાતો હોય, માત્ર પાણી જ દેખાતું હોય તો પક્ષી વિહરીને અંતે જહાજ પર જ આવે.
પક્ષીને મન સાથે સરખાવી કહ્યું છે કે આ ચંચળ મન સુખ મેળવવા માટે બહાર ગમે ત્યાં જાય, ગમે તેટલું દોડે, ગમે તેટલું મેળવે પરંતુ આખરે તો એક જ આધાર છે ને તે મહાવીરના ચરણકમલ. ધર્મનું શરણમાત્ર અને આત્મસ્મરણજ છે. બહાર કોઇ પણ વ્યક્તિ સુખ મેળવવા ગયેલો અંતે થાક્યા જ છે ને હાર્યા છે, અંદર સુખ મેળવવા ડૂબકી લગાવનારા મરજીવાઓ જ જીત્યા છે.
વૃદ્ધમાજી ખોવાયેલી સોયને બહાર બત્તિના પ્રકાશમાં શોધતા હતા તેમ આપણે આત્મામાં રહેલા સુખને બહાર શોધી રહ્યા છીએ.
હે પ્રભુ! હું આપના દૃષ્ટિમાર્ગમાં આવ્યો એ મારા પરમ પૂન્ય છે. પુણ્યોદય છે. અર્થાત્ આપના જૈન શાસનમાં અને તેમાંએ અણગાર ધર્મમાં આવ્યો, અને મૂઢ બુદ્ધિવાળાએ આપને જ પડતા મુકી દીધા.
………………………………………………………………….
મૃગ નયની સમ નારી તણા, મુખ ચંદ્ર નીરખવા વતી,
મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગાઢો અતિ;
તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી,
તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી.. (14)
પરમ કરૂણાના અવતાર પરમાત્માની દૃષ્ટિ જેના પર પડે એ પાપી પાવન થઇ જાય. અરે! હું એવા સદ્ભાગ્યને પામ્યો કે આપના સાધુ તરીકે ઓળખાયો. લોકો કહે છે કે ભગવાન મહાવીરના સાધુ છે ને શ્રાવકને કહે છે,
પ્રભુ મહાવીરનો શ્રાવક છે આ તો પ્રભુ મોટો જ પુન્યોદય છે. તારા નામથી હું ઓળખાવું છું તે મારું અહોભાગ્ય છે. મને જે કંઇ મળ્યુ છે તે તારી કૃપાથી મળ્યું છે તે હું ભૂલી ગયો નથડી આપનરને પોતાના મિત્રને વારંવાર યાદ કરે છે પણ નથડી પહેરવા માટે જેણે નાક આપ્યું છે એ નાથને ભૂલી જવાય છે.
હે પ્રભુ! મારી મતિની મુઠતાને કારણે મે આપને મારા અંતઃકરણમાં સ્થાપિત ન કર્યો. તો કોને હૃદયમાં સ્થાન આપ્યું! મારા મનમંદિરમાં મે કામદેવની પ્રતિષ્ઠા કરી. હે પ્રભુ! આપે મોહનિય કર્મને દારૂના નશાની ઉપમા આપી તે યથાર્થ જ છે.
મને મોહનો એવો નશો ચડ્યો છે કે જેના કારણે કામના બાણોથી મારું દિલ વિંધાયું છે. કામ એટલે વિષયસેવવાની ઇચ્છા.
પાંચેય ઇદ્રિયોના વિષયો પ્રત્યેની આસક્તિ, વિકારભાવે મારા મન પર એવો અડ્ડો જમાવી દીધો છે.
મારા આરાધ્ય તિર્થંકર પરમાત્મા છે અને તેમની કૃપાથી હું આ સ્થાન પર પહોંચ્યો છું. માટે તો પર સ્ત્રાળ માતા, બહેન સમાન ગણવા જોઇએ.
હું અનોખું જૈન શાસનને પ્રભુ મહાવીર તથા ગુરૂવર્યોનો સત્સંગને ભક્તિથી વિમુખ થઇ સ્ત્રાળઓની મોહજાળમાં ફસાયો. તે મારા માટે શરમજનક નહિ તો બીજું શું છે! મારા આવા અનિચ્છનીય વર્તન માટે હે પ્રભુ! મને ક્ષમા કર.
=================================
” રત્નાકર પચ્ચીસી “
( Part -15 )
સુંદર નથી આ શરીર કે, સમુદાય ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કળા તણી, દેદિપ્યમાન પ્રભા નથી;
પ્રભુતા નથી તો પણ પ્રભુ, અભિમાનથી અIડ ફરું, ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરું .
સંપૂર્ણ વિશ્વમાં જે વ્યક્તિને પૂર્વના પુણ્ય યોગે સુંદર શરીર, ગુણો, વિદ્યા, કળા, આવડત વિગેરે મળ્યા હોય, તો પ્રાયઃ કરીને તે બાબતનો અહમ્ આવવાની સંભાવના છે.
પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે રૂપ, ગુણ, વિગેરે કંઇપણ ન મળ્યું હોય તેવી વ્યક્તિઓ પણ અભિમાનના કારણે અIડ થઇને ફરતી હોય છે.
ચાર કષાયમાં માન કષાય એવો છે કે જેને કારણે વ્યક્તિ કંઇ પણ ન પામી શકે અભિમાની વ્યક્તિ ક્યાંય વળે નહિ, વાણીમાં પણ નમ્રતા દાખવે નહિ તેવી વ્યક્તિઓ જ્ઞાનાદિ ગુણો કંઇ પણ પામી ન શકે. ચાર કષાયમાંના જે અનુત્તાબંધી આદિ ચાર પ્રકાર છે. તે ચરિત્રને, ગમે નહિ કે વળે નહિ તેવા ભિન્ન ભિન્ન સ્તંભની ઉપમા આપવામાં આવી છે.
1) જેમ પથ્થરનો સ્તંભ તૂટી જાય પણ વળે નહિ. તેમ અનંતાનુબંધી માનવાળા જીવો મૃત્યુ પામે ત્યાં સુધી નમે નહિ.
2) જેમ હાડકાના સ્તંભને પ્રયત્નપૂર્વક વાળવાનો પ્રયાસ કરવામાં આવે પણ તુરંત પહેલાની સ્થિતિમાં જ આવી જાય તેમ અપ્રત્યાખ્યાની માનવાળા જીવોને નમ્ર બનવાનો પ્રયાસ કરવામાં આવે પણ ફરીથી તે હતો ત્યાં ને ત્યાં અલબત્ત તે અભિમાની બની જાય છે.
3) જેમ લાકડાના સ્તંભને પાણીમાં પલાળી રાખવામાં આવે ત્યારે સામાન્ય જરામાત્ર વળે તેમ પ્રત્યાખ્યાની માનવાળા પણ સામાન્ય નમ્રતા દાખવે.
4) જેમ નેતર પાણીનો પ્રવાહ કે હવા આપે તો આખો વળી જાય. પણ એ પ્રવાહ બંધ થાય ત્યારે ફરીથી મૂળસ્થિતિમાં આવી જાય. તેમ સંજ્વલન માનવાળા જીવો ત્વરિત નમ્રતા દાખવી શકે અને એવો કોઈ પ્રસંગ ન હોય ત્યારે મુળસ્વભાવમાં પાછો પણ આવી જાય.
ઘણા અભિમાની જીવઓ ]ષંકવાનું કે નમ્રતા દાખવવાનું શીખ્યા જ નથી હોતા. ભાષામાં પણ નમ્રતા નહિ. પછી નમતું જોખવાની કે જતું કરવાની તો વાત જ ક્યાં રહે! અભિમાનીનું સ્થાન ગરદનમાં છે મસ્તક આપવા તૈયાર છુ. પણ મસ્તક ]ષકાવશું નહિ.
આવી વાત અભિમાની કરતા હોય છે. અભિમાની માણસની ચાલમાં, વર્તનમાં, ભાષામાં, વ્યવહારમાં જડતા હોય છે. તે એમ માનતો હોય છે કે હું જ સાચો ને હું જે કરું છું તેય બધું સાચું. પોતાની સિવાય તમામ વ્યક્તિઓમાં તેને દુર્ગુણ દેખાય છે.
1) તીર્થંકરની જાતીને કુખ પાસે આપણી જાતી નગણ્ય છે.
2) બાહુબલી કે ભીમસેનના બળ પાસે આપણું શારીરિક બળ કંઈ વિસાતમાં નથી.
તીર્થંકરોના ગણધર ગૌતમસ્વામીના અને શ્રેણિક મહારાજાના કે ચેલણા રાણીના રૂપ પાસે આપણું રૂપ વામણું લાગે.
ચક્રવર્તીની સંપત્તિ, રિદ્ધિ, સમૃદ્ધિ, વૈભવને એશ્વર્ય પાસે આપણું ઐશ્વર્ય કોઈ ગણનામાં નથી. હે પ્રભુ! અભિમાન કરવા જેવા મદસ્થાનોમાંથી મારી પાસે કંઈ જ નથી. હું શાનું અભિમાન કરું! છતાં મારો માનકષાય ઘણો છે. મને આ મળેલું શરીર ઔદારિક છે કોઈ રૂપવાળું કે સૌષ્ઠવાળું, નમણું કે સુડોળ નથી. જેથી મને અભિમાન આવે. જેમને દૃષ્ટિએ અતિ ઉત્તમ સુંદરતા તથા નમણાશ મળ્યા હોય તેવા રૂપ, સૌંદર્ય મારી પાસે નથી. છતાં હે પ્રભુ! મારું અભિમાનનો કોઈ પાર નથી.
સૌંદર્યની બાબતમાં મને છાંટો પણ રૂપ મળ્યું નથી. હે પ્રભુ! હું ગેરમાર્ગે દોરવાયો મને ક્ષમા કરો. રૂપતો નથી પરંતુ અંદરના આત્માના વિચારોનું સૌંદર્ય પણ મારામાં નથી. મારી દૃષ્ટિમાં પણ સુંદરતા નથી. એક કવિએ કહ્યું છે-
કોઈ કહે છે ધરતીનું સદન બદલો. કોઈ કહે છે જર્જરિત ગગન બદલો.
અમર તત્વ છે, અદલા-બદલી ની વાતો બદલવી હોય તો તમારી દૃષ્ટિ બદલો.
જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ તે ઊકિત પ્રસિદ્ધ છે. દૃષ્ટિ બદલાય તો ગુણવાન બની શકાય છે. જ્ઞાનીઓ કહે છે દૃષ્ટિ બદલે તો ગુણ ]રે. હે પ્રભુ! મારામાં ગુણો નથી. ગુણોનો સમુદાય નથી. છતાં મારામાં અભિમાન છલકાય છે. અધૂરો ઘડો વધુ છલકાય છે.
ત્રણ લોકના સર્વ જીવો એમને પૂજ્યશ્રી માને છે. તીર્થંકર માત્ર એટલો વિચાર કરે કે અહીં દેશના અર્પિત કરવી છે. અને દેવો તે સમજમાં આવી જાય છે. અને ત્યાં જ તેજ ભૂમિ પર ત્વરિત સમવસરણની સુંદર રચના થઈ જાય છે. કેવો વૈભવ! પ્રભુ જ્યાં પગ મૂકે ત્યાં લાલ પાંખડીનું સુવર્ણ પદમ કમળ થઈ જાય, કેવો પુન્યોદય!
અનંતાઅનંત ગુણો જે આ કાળમાં લખવા હોય તો કાગળો પણ ઓછા પડે છતાં ગર્વ શુન્ય. ભગવાન આદિનાથની સ્તુતિ કરતાં શ્રી માનતુંગ આચાર્ય ભક્તામર સ્તોત્રમાં કહે છે. હે ગુણોના સાગર! આપના ચદ્ર સમાન કાન્તિમાન, ઊજ્જવળ ગુણોને કહેવા માટે બુદ્ધિથી બૃહસ્પતિ જેવા પણ કોણ સમર્થ છે.
હે પ્રભુ! મારા કોઈપણ પ્રકારના ગુણોનો સમુદાય નથી. ઉત્તમ વિલા કળા તણા દેદિપ્યમાન પ્રભા નથી.હે પ્રભુ! મારી પાસે કોઈ અદ્ભૂત કળા નથી. પ્રભુતા નથી. છતાં અભિમાનથી અIડ થઈ ફરું છું.કંઈક સત્તા, કંઈક રૂપ ક્ષણિક છે. હું કેવો વામણો! તેમાં રાચતો રહ્યો. પ્રભુ! મને ધિIાર છે. મને કૃપા કરી ક્ષમા આપો.
==============================
” રત્નાકર પચ્ચીસી “
( Part -16 )
આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ ઘટે.
ઔષધ વિષે કરૂં યત્ન પણ હું, ધર્મને તો નવ ગણું; બની મોહમાં મસ્તાન હું, પાયાવિનાના ઘર ચણું..
જૈન દર્શનનો કર્મ વાદ સમજાવે છે કે દરેક કર્મોના ચાર પ્રકારના બંધ છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ
જીવે બાંધેલા કર્મોની સ્થિતિ પૂર્ણ થતાં જીવ તે કર્મમાંથી મુક્ત થઈ જાય છે.
પ્રાયઃ કરીને આઠ કર્મોમાંથી મોટાભાગના કર્મોની સ્થિતિ પૂર્ણ થતાં વ્યક્તિને આનંદ થાય. જ્ઞાનાવરણીયકર્મની સ્થિતિ પૂર્ણ થાય અને યાદશક્તિ વધે તો આનંદ થાય.
વેદનિય કર્મની સ્થિતિ પૂર્ણ થતાં દર્દ ઓછું થાય. તો ખુશી થાય. મોહનિયનો ઉપશમ થાય તો ત્રિતત્વ પર શ્રદ્ધા થાય તો પણ ગમે. એક માત્ર આયુષ્ય કર્મ એવું છે જેની સ્થિતિ જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ પ્રત્યેક જીવને દુખ થાય.
કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે, `સર્વ જીવો જીવવા ઈચ્છે છે, મરવા તે ઈચ્છતા નથી.
આયુષ્ય કર્મની સ્થિતિ પૂર્ણ થયે મરણ નિýિાત થાય.’ દેવલોકના દેવોનું આયુષ્ય પૂર્ણ થવાનું હોય તે પહેલાં છ મહિના અગાઉ તેમની ફૂલમાળા કરમાવા લાગે છે. એમનાં પુન્ય ભોગવળાનો કાળ પૂર્ણ થવાનો જાણીને દેવાત્માની દેહક્રાન્તિ ]ાંખી પડવા લાગે છે. તે ખિન્ન થવા લાગે છે. અન્યનું મોત નજરે જોનારા આપણે એ નથી વિચારતા કે એકવાર મારું પણ મોત આવશે. જેથી બેદરકારી અને આળસમાં અમુલ્ય અવસર ગુમાવી રહ્યા છીએ.
ધર્મ કરણી કે ધર્માનુષ્ઠાનથી સમયને સાર્થક કરવાને બદલે ધર્મકાર્યમાં આળસ કરી આયુષ્યની ક્ષણોને નિરર્થક ગુમાવી રહ્યા છીએ. પ્રસિદ્ધ અંગ્રેજી નાટયકાર શેક્સપિયરે એક જગ્યાએ લખ્યું છે કે `માણસ ભોજન કરવા બેસે ત્યારે એમ માને કે બીજો આપવાનો નથી. અને મકાન બાંધે કે બ્લોકનું રીનોવેશન કરાવે ત્યારે એમ માને કે અમે ક્યારેય મરવાના નથી.’ કહેવાય છે કે સંપત્તિ જાય તે પાછી આવે છે. સમુદ્રમાં વહાણ ગયા હોય તે પાછા આવે પરંતુ ગયેલો અવસર કે ગયેલા પ્રાણ કદી પણ પાછા આવતા નથી.
કાળતો સદા નવો રહે છે. તે જીર્ણ થતો નથી. અન્ય દ્રવ્યો જીવ અજીવાદિની પર્યાયોને પલટયા કરે. નવામાંથી જુનું અને જુનામાંથી જીર્ણ કરે. બીજી વાત એ કે સંપત્તિને બેંકમાં, દાગિનાને લોકરમાં રાખવામાં આવે. સ્વાસ્થ્ય જાળવવાના ઉપાયો છે. સારવાર છે. સત્તાને કાયમી રાખવાના વ્યુહ છે. પણ સમયને સાચવવાનો કે સંગ્રહ કરવાનો કશો ઉપાય નથી. આવા સ્વતંત્ર મિજાજ ધરાવતા સમયને ઓળખી લેવો અને આત્મગુણો મેળવવામાં, એનો ઉપયોગ કરી લેવો. એજ જીવનની સફળતા છે.
આચાર્ય કહે છે પોતાનું આયુષ્ય પળે પળે ઘટી રહ્યું છે તે ઘટતા આયુષ્યને જાણી તે સર્વથા ખતમ ન થઈ જાય તે પહેલા સત્કાર્ય કરવા નહિ. સજાગ રહે છે
પરંતુ પાપબુદ્ધિને ઘટાડવા માણસ સજાગ થતા નથી. હે પ્રભુ! સમયે સમયે આયુષ્ય ઘટવા છતાં મારામાં પાપ બુદ્ધિનો ઘટાડો થતો નથી. આનંદઘનજી મ.સા. કાયાને ઉદેશ્યી ને કહે છે, હે કાયા! તને ઘણું જતન કરી સાચવી. તારા માટે હિંસા, અસત્ય, ચોરી, અબ્રમ્હ સેવન અને પરિગ્રહ ઘારણ કર્યા. તારા માટે શું ન કર્યું! હવે તું મારી સાથે ચાલ. પરંતુ કોઈની કાયા આજ સુધીમાં જીવની સાથે ગઈ નથી. બિચારો જીવ પાપબુદ્ધિ સેવીને પરલોકમાં દુર્ગતિ પામે છે.
આશા જીવનની જાય પણ મિથ્યાભિલાષા ન મટે.માણસને જીવવાની જ્યારે બિલકુલ આશા ન હોય મૃત્યુની તલવાર જ્યારે માથે લટકતી હોય. ઘડીકમાં શું થશે તેની ખબર ન પડતી હોય પણ ઈંદ્રિયોનું વિષય સુખનું આકર્ષણ અંતિમ પળ સુધી રહે છે. તે માણસ જાણતો હોવા છતાં તેના જાતિય મોહ છોડી શકતો નથી. તે એક આýાર્ય છે !
. મોહમાં મસ્ત બની હું સંસારના કહેવાતા મિથ્યા સુખમાં ઓતપ્રોત થઈ મેં ઘણા કર્મ બંધન કર્યા છે. તે પાપ મને ક્ષમા કર. પ્રભુ મને બચાવો, મારા પર કૃપા કરો વિભુ!
=================================
” રત્નાકર પચ્ચીસી “
( part – 17 )
આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી,
મિથ્યાત્વીની કટુ વાણી મેં, ધરી કાન પીધી સ્વાદ થી.
રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપશ્રી તો પણ અરે,
દિવો લઈ કૂવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે.
આત્મા નથી, પરભવ નથી. આ પ્રકારની માન્યતા અન્ય દર્શનોમાં દર્શાવવામાં આવી છે. આપણે આ દુનિયામાં બીજા લોકોના પણ સંપર્કમાં હોઈએ છીએ. તે લોકોના પ્રચારકો પોતાના ધર્મનો પ્રચાર કરતા હોય છે.
અને આપણે તેમની વાતોમાં કોઈ ને કોઈ રસ લેતા હોઈએ છીએ. વિશ્વમાં ભિન્ન ભિન્ન માન્યતા ધરાવનારા મનુષ્યો છે.
જૈન દર્શન કહે છે આત્મા છે તેજ કર્મોનો કર્તા છે. અને તેજ ભોક્તા છે. પુરૂષાર્થ દ્વારા કર્મોને ખપાવી તેજ આત્મા, પરમાત્મા બની શકે છે. જ્યાં સુધી સર્વ કર્મથી મુક્ત ન થાય ત્યાં સુધી ચાર ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે.
ગત જન્મના પુન્ય-પાપ અનુસાર જ આગામી ભવોમાં સુખ દુખ મળશે આવો નIર કર્મવાદ જૈન દર્શનમાં છે.
જૈનો માને છે કે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય તેને મોક્ષ કહેવાય. જૈન દર્શનમાં મુખ્ય જીવ અને અજીવ તેમ બે મુખ્ય અગત્યના તત્વોમાં માને છે. પýિામના દેશોનું દર્શન કહે છે ખાઓ-પીઓ ને મોજ કરો. કાલની કોને ખબર છે. `આ ભવ મીઠો તો પરભવ કોણે દીઠો’ તેઓ કહે છે કરજ કરવું પડે તો કરીને પીઓ. મોજ મજા કરો. પરભવમાં તેઓ માનતા નથી. તેઓ કહે છે કે મૃત્યુ પછી ચ્ર્ઢડ Eત્ઠ્ઠ સર્વ પૂર્ણ થાય છે. આત્મા નથી, પરભવ નથી, પાપ-પુન્ય કશું નથી. આવું માનનારા અને ધર્મની વાતોને હસી નાખનારા લોકોનું પણ અસ્તિત્વ છે. તેમ માનનારાને સાચો ને સત્ય ધર્મ મળ્યો નથી. તેમને વીર જેવા ભગવંત મળ્યા નથી. આવા વિવિધ સ્વાર્થી લોકો સાથે રહીને આપણે જૈનદર્શન સાચવી રાખવાનું છે.
વીરતી વાણીમાં શ્રદ્ધા ન ડગે તો ન જ ડગે. સર્વને મજા કરવી છે. પ્રભુ વીર કહે છે હસતા હસતા કરેલા કર્મ રોતાં રોતાં પણ છૂટતા નથી. જૈન દર્શન મળ્યું છે તો ભવ સુધારી લો.
રત્નાકર-આચાર્યશ્રી કહે છે કે આવી ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. બીજા દર્શનને આત્મા દેખાતો નથી. જીવ ક્યાં જાય છે. આત્મા કેવો છે! હોય તો બતાડો. તેનું વજન કેટલું છે તે દેખાવમાં કેવો છે! તે કેવી ગતિ કરે છે. આવા અનેક સવાલોના જવાબ નથી. તેથી તેઓની માન્યતાને પૃષ્ટિ મળે છે. ભાવતું તું ને વૈધે કહ્યું. મોજ મજા કરવી છે. પાપનો ડર નથી રાખવો.
તેથી તેઓ તેમનું દર્શન કહે છે તેને તેઓએ વધાવી લીધું છે.
જૈન ધર્મ કહે છે આત્મા છે. તે નિત્ય છે. અને અમર છે. તે કર્મોને કરનારો છે. કર્મનો કર્તા છે અને ભોક્તા છે. તેનું અસ્તિત્વ શ્રદ્ધાથી અને સ્વાનુભવથી સમજાય છે. હવા આપણને ક્યાં દેખાય છે! છતાં તેનું અસ્તિત્વ છે.
કલ્પસૂત્રમાં કહ્યું છે આત્મા શબ્દ ક્યાંથી આવ્યો. વિશ્વમાં જે કંઈપણ ચીજ છે તેનું નામ છે. આત્મા નથી તો આત્મા નામનો શબ્દ આવ્યો ક્યાંથી! વળી એ લોકો વિજ્ઞાનનો સહારો લઈ આજે કહે છે તે કાલે જુદું જ કહે છે. વિજ્ઞાનની કોઈ એક બાત નથી. તે બોલીને ફેરવી તોળે છે.
જૈન દર્શન કેવળજ્ઞાનીઓ જે કહ્યું છે તે સનાતન સત્ય હોય છે. કોઈ પણ ફેરફાર નહિં. અનંતા અનંત વર્ષોથી એક જ વાત. મારો આત્મા એક છે.
શાશ્વત છે તથા જ્ઞાન-દર્શનથી યુક્ત છે. બાકી સર્વ સંયોગજન્ય વિભાવો. શ્રી રત્નાકર આચાર્ય મિથ્યાત્વ જીવોની એક પછી એક માન્યતા દર્શાવી છે. તેઓ માને છે કે આત્મા નથી. પરંતુ ઉપરોક્ત અનેક રીતે જૈન દર્શન આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે.
જૈન ધર્મમાં આત્માનો સ્વભાવ મોક્ષ કહ્યો છે. અને તેના ઉપાયો પણ કહ્યા છે. તેમાં મોક્ષનું સનાતન સુખ દર્શાવવામાં આવ્યું છે. વળી પાપ-પુન્ય કશું નથી. મિથ્યાત્વી જીવો તો પાપ-પુન્યમાં માનતા નથી. તેથી દાનના , પરોપકારનાં કે માનવ કલ્યાણના કાર્યે કરી પુન્ય ઉપાર્જન કરવું કે પાપથી બચવાનું એને મન નથી થતું. બેફામ રીતે જીવન વીતાવ્યે જાય છે.
. પ્રભુ!તેનું જ્યાં થયું હોય તો હે વિભુ!હું ક્ષમા યાચું છું હે પ્રભુ! મારી દશા કેવી થઈ છે!
શાસ્ત્રાેના મૂળ સુરયોને મેં કંઠસ્થ ન કર્યા. મારા કષાયોને વિષયોને હું વશ ન રાખી શક્યો. હાથમાં દીપક હોવા છતાં હું કૂવામાં પડયો અને ભવભવાંતરમાં રમવાડાના મેં વર્તંન કર્યું. મારી પાસે શ્રુતજ્ઞાન હોવા છતાં હું ઊંડી ખાઈમાં પડયો. હે પ્રભુ! મને બચાવો!મને ધિક્કાર છે હે પ્રભુ ! મારા ઉપકાર કરી મને ઉગારો.
=======================
શ્રી રત્નાકર પચ્ચીશી
( Part -20 )
મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઈચ્છ્યું ધન તણું, પણ મૃત્યુને પીછયું નહિ;
નહિ ચિંતવ્યું મેં નર્કöકારાગૃહ સમી છે નારીઓ, મધુ બિંદુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયો.
`મેં ભોગ સારા ચિંતવ્યા તો રોગ સમ ચિંતવ્યા નહિ.’ ભારતીય આર્ય સંસ્કૃતિ ત્યાગ પ્રધાન સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ જન્મતાં જ જેમને પ્રાપ્ત થઈ છે તેવા આર્યોએ ભોગને નિઃસાર જાણી ત્યાગ અપનાવ્યો છે. ષટ્ ખંડાધિપતિ 12માંથી 10 ચક્રવર્તીઓ ત્યાગ અપનાવ્યો અને તદ્દભવેજ મોક્ષમાં પધાર્યા. કેટલાક રાજા-મહારાજા માંધાતાઓએ રાજકુમારોએ, શ્રેષ્ઠિ પુત્રોએ શરીરની સુકુમળતાનો સ્વેચ્છાએ ત્યાગી પ્ન્યૂયોગે મળેલ વિપુલ ભોગસામગ્રીઓને સ્વેચ્છાએ ત્યાગી
સાધુ-સંન્યાસી, જોગી, યતિ બની ગયા. શ્રી તીર્થંકરો કથિત આચરિત શ્રમણ સંસ્કૃતિ ચિરકાલ ગૌરવવંતીજ રહેશે. કારણકે તેમાં સર્વથા ભોગનો ત્યાગનો સ્વીકાર કરેલ છે.
આવા અદ્ભુત ત્યાગ સામે ભલભલા નમી પડે છે. ભોગમાં ક્ષણમાત્રનું સુખ છે. અને બહુકાલનું દુખ છે. દુખની માત્રા ઘણી છે. સંસારથી મુક્ત થવામાં વિપક્ષભૂત અવરોધક એવા કામભોગો તો અનર્થની ખાણ છે. આ માનવશરીરના ત્રણ કરોડ રોમરાઈ રૂંવાટી છે.
તે પ્રત્યેકમાં બબ્બે રોગ સત્તામાં પડયા છે. અશાતાવેદનીયનો ઉદય થવા પર તે બહાર આવવાના જ છે. તેને બહાર લાવવામાં આ ભોગ તે સારો ભોગ ભજવે છે. એટલે કે ભોગનું સેવન રોગના ઉદ્ભવ માટે નિમિત્ત બને છે. પાંચ ઈદ્રિઓ દ્વારા વિષયોનું સેવન કરી અજ્ઞાની જીવ રોગને આમંત્રણ આપે છે.
વિષયોમાં આસક્તિભાવ તેજ ભોગેચ્છા. તેનું પરિણામ ક્યારેય પણ સારું ન જ હોય. `આગમન ઈચ્છયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહિ.’ આપણાં અચેતન મનમાં `િવતૈષણા’ (ધનપ્રાપ્તિ ઇચ્છા) ઉત્પન્ન થાય છે, એના કારણે સમસ્ત જીવો ધન આવે એવું જ ઇચ્છતા હોય છે, એના માટે મહેનત કરતા હોય છે.
એકવાર એક વિદ્વદ્સભામાં પ્રüા ઉપસ્થિત થયો કે વધુ ખતરનાક કોણ? અર્થ કે કામ ? શ્રી કે સ્ત્રાળ? એક વિદ્વાન પંડિતે તેનો આ રીતે ઉત્તર આપ્યો `સ્ત્રાળનુંરૂપ યુવાનોને વધુ આકર્ષે છે. પણ લક્ષ્મી તો સ્ત્રાળઓને, બાળકોને, તરુણોને વૃદ્ધોને અરે! નપુસંકોને પણ લલચાવે છે અને તે પણ સર્વદા.’
લક્ષ્મીનું રૂપ લલચામણું અને છેતારમણું છે. લોકો લક્ષ્મીને અમૃત કહે છે તેથી સંતોષ હરગિ] નથી. જેમ કામાતુર માણસ અંધ હોય છે. તેને લજ્જા હોતી નથી. ક્ષુધાતુર માણસને રૂચિ કે સમયભાન હોતું નથી. ધનાતુર માણસને એક વાર તે ધનપતિ બને છે. ત્યાર પછી તે અતિતનો કાળ વિસરી જાય છે. અને પોતે સર્વસ્વ છે તેવો તેને અહેસાસ થાય છે તેથી તેને કોઇ ગુરુજન કે બન્ધુજન હોતું નથી તે સારા-નરસાનું ભાન પણ ગુમાવે છે.
પૈસાની ગરમી અજબગજબની હોય છે. વધુ ને વધુ ધન મેળવવાની લાલસા, તૃષ્ણા, કામની તલપ, ક્રોધની જ્વાળા એક સાથે ધનપતિને ભભૂકી ઉઠે છે. જો ધન કોઇ કુપાત્રના હાથમાં આવી જાય તો તેના દ્વારા તેનો દૂરુપયોગ થાય છે.
અર્થાત્ ધનપતિ તો સમજીને આંધળા થાય છે. અને અંતમાં ચારેકોરથી ભેગું કરેલું ધન ગેરમાર્ગે જાય છે અને પાપકર્મના બંધ પડે છે. પરંતુ તે જાણતો નથી કે ક્ષણવારમાં જો આ હ્રદય બંધ પડયું તો તેની બધી જ લક્ષ્મી આપી દે તો પણ આયુષ્યની એક ક્ષણ પણ વધારવા કોઇ સમર્થ હોતું નથી. નહિ ચિંતવ્યું મેં, નર્ક કારાગૃહ સમી છે નારીમાં. જેમ નર્કમાં ગયેલો જીવ ત્યાંના દુખોથી અકળાય છે. પણ ત્યાંથી છૂટી ન શકે. કારણ કે નર્કના જીવો અનપર્વતી આયુષ્યવાળા હોય છે.તેથી સંપૂર્ણ આયુષ્ય ન ભોગવાય ત્યાં સુધી અન્યગતિમાં જઈ ના શકે.
તેમ જ કારાગૃહમાં કેદીને જેટલો સમય રહેવાનું નકકી થયું હોય તે સમય પૂર્ણ થયા પહેલા જેલમાંથી છૂટી ન શકે.
`મધુબિન્દુની આશામહીં ભયમાત્ર હું ભૂલી ગયો.’ આ સ્તુતિ ભગવાનની સામે સ્વદોષ દર્શન કરવા કહી છે, અહિં નર કે નારી તે તો માત્ર નિમિત્ત છે પણ મનુષ્યની પોતાની કામીની સંજ્ઞા એટલી તીવ્ર હોય છે કે તેની પુષ્ટિ કરવા તે બીજાના શરિરમાં પોતાનું સુખ શોધે છે જેનું બીજું નામ વાસના છે.
જ્ઞાનીઓએ તેને મધુબિન્દુ સમાન કહ્યું છે. ઉપરોક્ત ચિત્રમાં જેમ પેલો માણસ મધના ટિપા મોઢામાં એક પછી એક પડે છે તેના ક્ષણીક સુખમાં એટલો લીન છે કે તેને નીચે રહેલો ઊંડો ભમરીયો કુવો દેખાતો નથી, તેમાં મોં ખુલ્લા રાખેલા અજગરો અને મગરમચ્છો પણ નથી દેખાતા, ઉપરથી બે ઊંદરો તે જ વેલને કાપી રહ્યા છે તે પણ નથી દેખાતા, જ્ઞાનીઓ પોકારી પોકારી ને કહી ગયા કે આવું તે સુખ શું કામનું જે ભયંકર દુખોને આપનારું બને પણ મનુષ્યો તો આવા અનેક મધપુડામાં ફસાઇ પડ્યા છે,
માટે આચાર્ય કહે છે કે, હે પ્રભું ! મેં નારીને નરક સમાન કે કારાગૃહ સમાન જકડી રાખનાર જાણી નહિ.’ હે પ્રભુ! મેં આચરેલાં કુઆચરણો કંઈક મધલાળથી જ થયા છે. ધન અને ધનવાનો મળશે. મારા પર પડી જશે. સ્ત્રાળઓ મારી બની જશે. લોકોમાં મને પ્રતિષ્ઠા મળશે. આવી મોહક, મધલાળો, આશાઓ નરક-નિગોધની ગતિઓના જન્મ, ત્યાંના ત્રાસ, દુખોનો સર્વ ભય હું ભૂલી ગયો. મધુબિન્દુની પ્રસિદ્ધ વાત સૌ જાણે છે. જો ભાગ્યમાં દુઃખ જ લખ્યું છે તો સુખ ક્યાંથી મળવાનું છે. હે પ્રભુ! મને બચાવો. મારી સ્થિતિ “મધુબિન્દુ” જેવી થઇ છે. મને ઉગારો. પ્રભુ ! મારા પર દયા કરો.
========================
” રત્નાકર પચ્ચીસી “
( Part -21)
હું શુદ્ધ આચારો વડે, સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારનાં, યશ પણ ઉપાર્જ ન નવ કર્યો;
વળી તીર્થના ઉધ્ધાર આદિ, કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે ! આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા.
સંસાર અનાદિ કાળથી છે. તેમાં રહેતા જીવો અને જીવોના કર્મો પણ અનાદિ કાળથી છે.
જે જીવનમાં ધર્મ, પુરૂષાર્થ ન આવે તો સંસાર કે કર્મનો અંત ક્યારે પણ ન થાય. પુરૂષાર્થ એટલે મનની, વચનની, તનની શક્તિનો ઉપયોગ પરંતુ તે શક્તિ ધર્મકાર્યના વિચારમાં ધર્મના, મંત્રો કે શાસ્ત્રાેના ઉચ્ચારણમાં અને ધર્મક્રિયાઓમાં વિધિઓ અને અનુષ્ઠાનો કરવામાં વપરાય ત્યારે તે ધર્મ પુરૂષાર્થ કહેવાય.
કયો ધર્મ શ્રેષ્ઠ! વિવિધ પ્રાંતના, દેશના ધર્મો ભિન્ન ભિન્ન હોય, જુદા જુદા હોય, ધર્મ પ્રણેતાઓએ અલગ માર્ગની પ્રરૂપણા કરી હોય પણ એ બધા જ ધર્મો જેમાં સમાવિષ્ટ થઈ જાય તેવા શ્રેષ્ઠતમ ધર્મને બતાવતું એક સોનેરી બોધ વાક્ય મહાપુરૂષોએ કહ્યું છે કે “આચારઃ પ્રથમો ધર્મ”
આચાર એ સૌ પ્રથમ ધર્મ છે. કામશાસ્ત્રના રચયિતા વાત્સાયન કહે છે કે જો કામ મેળવવો હોય તો પણ ધર્મ કરજો. ધર્મથી પુન્ય થશે. આ પુન્યથી જ અર્થ અને કામ બંને મળશે. અર્થ એટલે મનુષ્ય પુરુષાર્થ કરી જે કંઇ ધન કમાવે છે તે અને કામ એટલે જીવન જીવવા દરમ્યાન જે કંઇ મનની ઇચ્છા છે તે અને જીવન ઊપયોગી જે કંઇ સાધન જોઇતા હોય કે જે કંઇ કામના પુરી કરવી હોય તે. જો પુણ્યરૂપી ભાતુ સાથે હશે તો જ અર્થ અને કામ બન્ને મળશે
અર્થાત્ ધર્મ વિના અર્થ ને કામ બન્ને મળતા નથી. આખરે તો ધર્મ તો કરવોજ પડે છે. મહાભારતમાં વ્યાસ મુનિ કહે છે કે `હું બંન્ને હાથ ઊંચા કરીને, રાડો પાડીને કહું છું કે અર્થ, કામ જોઇએ તો પણ ધર્મ આચરો. ધર્મથી પુન્ય મળે છે. પુન્યથી અર્થ અને અર્થથી કામ મળે છે. અલબત ધર્મ તે આચરણ કરવાની ચીજ છે. એની ભૂમિકા રચાય છે. માત્ર વિચારોથી કાર્ય સિદ્ધિ થતી નથી. વિચારથી ઉચ્ચારનું મહત્વ વધારે અને ઉચ્ચારથી આચારનું મહત્વ વધુ છે.
વ્યવ્હારીક જીવોના જીવનમાં જો અર્થ, કામ, વ્યવસ્થિત હોય તો ચાર વસ્તુ પ્રાપ્ત થાય. ચિત્તમાં પ્રસન્નતા, જીવનમાં શાંતિ, શરીરમાં આરોગ્ય, કુટુંબમાં સંપ. પણ જેનો આચાર ધર્મ શુદ્ધ હોય તો જ અર્થ, કામ વ્યવસ્થિત રહી શકે.
દરેક અનુષ્ઠાનોમાં શુદ્ધિ આવશ્યક છે જેમ કે..
ભાવોની શુદ્ધિ આજ્ઞાનુસારિતાથી થાય, વિચારોની શુદ્ધિ આત્મજાગૃતિથી થાય, ક્રિયાની શુદ્ધિ વિધિના પાલનથી થાય, તપની શુદ્ધિ વાસનાના ઘટાડાથી થાય, દાનની શુદ્ધિ મમત્વના ઘટાડાથી થાય, ધર્મની શુદ્ધિ ગુણાનુરાગથી થાય
તેમ આચારની શુદ્ધિ યથાતથ્ય પાલનથી થાય.
શ્રી રત્નાકર આચાર્ય પોતાના આચારધર્મમાં આવેલી શિથિલતાને પ્રભુસમક્ષ પ્રગટ કરતા કહે છે કે.. હું શુદ્ધ આચારો વડે સાધુહૃદયમાં નવ રહ્યો. `કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યા’ મનુષ્ય, પશુ, પક્ષી બધાજ પોતાનું કામ કરે છે. એમાં કોઈ વિશેષતા નથી. પરંતુ જેના દ્વારા બીજાને મદદરૂપ કે સહાયક થવાય. એવા પરોપકારના કામો તો કોઈ વીરલ વ્યક્તિ જ કરે. પરોપકારી વ્યકિત `બીજાનું દુખ તે મારું દુખ’ એમ જાણીને લોકોની પ્રશંસા, યશ, માન કે સન્માન માટે બીજા પર ઉપકાર કરતા નથી
પણ, સ્વ-પર આત્મ હિત માટે કરે છે. દરેક માણસે પોતાના માટે જ નથી જીવવાનું. પારકા માટે પણ જીવવું પડે છે. અને તેમ સમજી જે પારકાના કામ કરી પરોપકારી બને છે. રત્નાકર આચાર્ય કહે છે હે પ્રભુ! મેં પરોપકારનું કોઈ કામ કર્યું નથી. તેથી મને યશપણ પ્રાપ્ત થયો નથી.
વળી તીર્થ ઉદ્ધાર આદિ કાંઈ કાર્યો ન કર્યા. મારા ચોરાશી તણા ફેરા ફોગટ ગયા. મેં મારો જન્મારો નિષ્ફળ ગુમાવ્યો.
શ્રાવકને જે કરવું જોઈએ તે મેં ન કર્યું. હું મારું કર્તવ્ય ભૂલી ગયો. પ્રભુ ! મને ધિક્કાર છે. મને ક્ષમા કરો. મને માફ કરો. વિભુ!
============================
” રત્નાકર પચ્ચીસી “
(Part -22)
ત્ગુરૂવાણીમાં વૈરાગ્ય કેરો, રંગ લાગ્યો નહિ અને, દુર્જન તણા વાક્યો મહિ, શાંતિ મળે ક્યાંથી મને ?
તરૂ કે મ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી?
જૈન દર્શનમાં મુખ્ય ત્રણ તત્ત્વો છે. દેવ, ગુરૂ, ધર્મ. ત્રાજવાના બન્ને પલ્લા સમાન તો જ રહે
જો વચ્ચેનો કાંટો સ્થિર હોય. ત્રણ તત્ત્વોમાં ગુરુતત્ત્વ મધ્યસ્થાને એટલે કેદ્રસ્થાને આવેલું છે. જેઓ સદ્દેવ તત્ત્વની અને સદ્ધર્મતત્ત્વની ઓળખાણ કરાવે છે.
કેદ્રસ્થાને હોવાથી તેમની જવાબદારી અનેકગણી વધી જાય છે, માટે તેનું માહાત્મ્ય વધી જાય છે. તિર્થંકરો પછી સદ્ધર્મના ઉપદેષ્ટા ગુરુ જ હોયછે.
આવા ગુરુનું સાનિધ્ય તથા એમની આજ્ઞા વડે જ શિષ્યના સર્વ કાર્ય સિદ્ધ થાય છે.
આપણા સમાજમાં અરસપરસ અનેક પ્રકારના સંબંધો હોય છે. જેમ વિદ્યાર્થી શિક્ષક વચ્ચે વિદ્યાનો સંબંધ, નોકર શેઠ વચ્ચે વ્યાવસાયિક સંબંધ, મિત્ર મિત્ર વચ્ચે નિઃસ્વાર્થ પ્રેમનો સંબંધ, મા-દિકરા વચ્ચે વાત્સલ્ય અને મમતાનો સંબંધ હોય છે
પરંતુ ગુરુશિષ્ય વચ્ચે તો આત્મિક સંબંધ હોય છે જે નિઃસ્પૃહ હોય છે.
અન્ય સંબંધોનો ઉપકાર તો કેમે કરી વાળી શકાય પણ ગુરુનો ઉપકાર તો માત્ર તેમના જેવો બની જ વાળી શકાય. નહિતો અનંતકાળે પણ વાળી ન શકાય. એમના શુભઆશિષ, કૃપાવર્ષા, એમની અમીનજર શિષ્યનાજીવનમાં આમૂલ્ય પરિવર્તન લાવી તેને કેવળજ્ઞાન અપાવનારું થાય છે.
શ્રી આચાર્ય કહે છે કે, ઉપરોક્ત આત્મિક સંબંધ ધરાવનારા જેના કૃપાપ્રસાદથી આત્મગુણોનો ઊઘાડ થાય એવા વાત્સલ્યમૂર્તિ ગુરુ મળ્ય, જેમણે કલ્યાણની કેડી દર્શાવી છતાં હું એમની વાણીથી વૈરાગ્યવાસિત ન થયો. અને વૈરાગ્ય ત્યારે જ આવે જ્યારે ધર્મારાધનામાં અત્યંત આદરભાવ જાગે, જેથી સંસારની સમસ્ત સુખ સામગ્રીઓ પ્રત્યે વિરક્તિ ભાવ જાગે.
દુર્જન તણાં વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને’ વિશ્વના સર્વ ધર્મોએ સત્સંગનો મહિમા ગાયો. કુસંગથી દૂર રહેવા જણાવ્યું. દુર્જનોની સોબત કરવાની ના પાડી. નિતિશાસ્ત્રાે તો ત્યાં સુધી કહે છે કે હાથીથી હજાર હાથ દૂર રહો. શિંગડાવાળા પ્રાણીથી સો હાથ દૂર રહો પણ દુર્જન જે ગામમાં રહે છે તે ગામ જ છોડી દો. કારણ કે કુતરો કરડે, ગધેડો લાત મારે, સાપ ડંખે પણ દુર્જન તો આપણો આ ભવ અને પરભવ પણ બરબાદ કરી નાખે. સંસારના બે પાસા છે. સજ્જન અને દુર્જન. ક્યારેક માત્ર સજ્જન જ હોય તો ક્યારેક દુર્જન જ હોય એવું ન બને, બન્નેને સાચા સ્વરુપમાં ઓળખવા, દુર્જનનો ખરાબ અનુભવ પછી સજ્જનની સજ્જનતાનો ખ્યાલ આવે.
પૂજ્ય રત્નાકર આચાર્ય કહે છે કે હે પ્રભુ! ગુરુવાણી સાંભળીને વૈરાગ્ય ન આવ્યો. દુર્જનોની સંગત કરી. એના વચનો સાંભળ્યા. એમાંથી શાંતિ ક્યાંથી મળે. દુર્જનના જ જીવનમાં શાંતિ ન હોય તે બીજાને ક્યાંથી આપે! કૂવામાં જ ન હોય તો હખેડામાં ક્યાંથી આવે! `તરું હું કેમ સંસાર અધ્યાત્મ તો નહિ જરી.
શ્રી રત્નાકર આચાર્ય કહે છે.. હું ભવસાગરને પાર કરવાના માર્ગમાં આવ્યો, પણ મારા જીવનમાં અધ્યાત્મભાવ ન આવ્યો જેથી ભવસાગરને કેમ તરી શકું?
અધ્યાત્મભાવ તો ભવસમુદ્ર તરવામાં નાવ તરીકે કાર્ય કરે છે સાધુ હોય કે સંસારી જો આ નાવ પ્રાપ્ત થાય તો ભવસાગરથી અવશ્ય પાર ઉતરી શકાય. તુટેલ તળિયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી? પાત્ર ગમે તે હોય, તેના તળિયામાં છિદ્ર હોય, તિરાડ હોય તો એમાં પાણી કેમ ધારણ કરી શકાય, વરસતા વરસાદમાં જો ઘડો જ ઊંધો મુક્યો હોય તો તે પાણી કઇ રીતે ગ્રહણ કરે?
સાધક ગમે તે સ્તરનો હોય પણ દુર્ગુણ રૂપી છીદ્રો સાધકની સાધનાને સફાચટ કરી નાખે છે. શ્રી આચાર્ય કહે છે કે હે પ્રભુ! મારો આત્મઘટ તૂટેલ તળિયાવાળો છે. તેમાં આત્માપ્રશંસા, પરનિંદા વગેરે છિદ્રો પડેલાંછે. જેથી એમાં સાધનાનું જળ કેમે કરી ભરાતું નથી. હે પ્રભુ! મારા દોષો માફ કરી, મારી રક્ષા કર.
================================
” રત્નાકર પચ્ચીસી “
(Part -23)
મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી તો આવતા ભવમાં કહો, ક્યાંથી થશે કે નાથજી ?
ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ, નાથ ! હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો.
આ અફાટ જગતને સંસારની જીવ-અજીવ સૃષ્ટિ પર કાળ મહારાજા પોતાનું પ્રભુત્વ જમાવીને બેઠા છે.
જૈન દર્શન મુજબ માન્ય છ દ્રવ્યોમાં કાળ એક સ્વતંત્ર દ્રવ્ય છે. તે નવાને જૂનું કરે છે. અને જૂનાને જિર્ણ કરે છે. સર્વ જીવની બાલ્યાવસ્થા, કુમારવસ્થા, યૌવનવસ્થા અને વૃદ્ધાવસ્થા આ કાળદ્રવ્યથી થાય છે. અલબત કાળના પ્રભાવથી જ થાય છે.
નિરંતર વહેતા આ કાળના પ્રવાહને કોઈ રોકી કે થોભાવી શક્યું નથી. અનંતો ભૂતકાળ પસાર થઈ ગયો. અને અનંતો ભવિષ્યકાળ બાકી છે. વર્તમાન તો એક જ સમયનો છે. પૃચ્છા સમયે જ વર્તમાન તો એક સમયનો જ ત્વરિત એ વર્તમાન ભૂતકાળની ગર્તમાં ધકેલાઈ જાય છે. આ પ્રમાણે કાળની ઘટમાળ ચક્રની માફક ચાલતી જ રહે છે.
આપણા સૌ પર કાળચક્ર ફરી રહ્યું છે. `વીજળીના ચમકારામાં મોતી પરોવી લો’ આ વાક્યમાં ઠાંસી ઠાંસી તત્વજ્ઞાન ભરેલું છે. સમયના વહેણ જોરદાર ચાલે છે. ભૂતકાળમાં યુગો ના યુગો ગયા તેમ ભવિષ્યકાળ આવશે ને ચાલ્યો જશે. વર્તમાન તો ક્ષણિક છે,
જે સમય મળ્યો છે તો વર્તમાનમાં તમારૂં કામ કરી લો. પ્રભુને મેળવી લો. ભાવિમાં ક્યાં હશો! કોણ જાણે છે!
પૂજ્ય આચાર્ય કહે છે અહિં મનરૂપી મોતીને પરમતત્વના ધાગામાં પરોવવાની વાત છે. મતલબ ઈશ્વરીય બનવાનું સૂચન છે. તે વર્તમાનમાં જ થઈ શકે છે.
21,600 વર્ષ હવે આ આરાનાં બાકી છે. તેમાં આ ભવ 60 વર્ષ સમજો. તે કાળની અપેક્ષામાં પળમાત્રમાં પૂરા થઈ જશે. કાળની એક અદ્ભૂત ઉકિત છે.
ત્રણ સૂત્રો છે. 1) ભૂતકાળના, એટલે અતિત નિંદામી ઃ અતિતના પાપોની નિંદા કરું છું. 2) વર્તમાનના પાપોથી બચવાનું સૂત્ર છે.`પડુપનં સંવરેમિ’.ઃ વર્તમાનના પાપોથી હું સંવરું છું.
3) ભવિષ્યમાં પાપ ન થઈ જાય તે માટે આણાયં પચ્ચક્ખાણ ઃ ભવિષ્યમાં પાપ ન કરવા. એવું હું પચ્ચક્ખાણ કરું છું.
જૈન દર્શનમાં બતાવેલા વિવિધ અણમોલ `પ્રતિક્રમણ કરી ત્રણ કાળના પાપનો પýાાતાપ કરવાનું મહાપુરૂષોએ કહ્યું છે.
પૂજ્ય રત્નાકર આચાર્ય કહે છે. સમય સતત સરકતો જાય છે. નદીના પ્રવાહને બંધ બાંધી નદીને રોકી ન શકાય. સમયને રોકી રાખવો તે અશક્ય છે. તેથી પાપોને હટાવી પુણ્ય કરવામાં લાગી જવું તે શાણપણ છે. પૂર્વભવોમાં મેં પુન્યકાર્ય કર્યું નથી. વર્તમાનમાં હું કરતો નથી. તો આવતા ભવમાં ક્યાંથી થશે! પુન્યનો નિયમ પુણ્યાનુબંધી પુન્ય છે. અલબત્ત પુન્ય કરો તેથી એ પુન્યના પરિણામે આવતી ગતિએ પુન્ય થાય. પુન્ય કરવાના સંજોગો. ભાવના આવતા ભવમાં તે પ્રતાપે થાય. ભૂતકાળમાં સુખ દુખ ભોગવ્યું હોય તો વાગોળ્યા ન કરો. હવે ભાવિની ચિંતા કરો.
તેમ પૂજ્ય આચાર્યશ્રી કહે છે. ચિત્ત! તું શીદને ચિંતા ગ્રહે! કૃષ્ણને કરવું હોય તે કરે. આ ઉક્તિમાં દયારામ પોતાની મનને સમજાવતા કહે છે કે તું હે મન તું વર્તમાનમાં ભગવાનને ભજીલે, બાકીનું બધું પરમાત્મા પર છોડી દેવાનું કહે છે. પુન્ય કરવાથી કેવા ફળ મળે છે!
`પુણ્યાનુબંધી પુન્ય`, અન્નપુન્ય, પાણપુન્ય, લયનપુન્ય, શયનપુન્ય, વસ્ત્રપુન્ય, મળપુન્ય, વચનપુન્ય, કાયપુન્ય, નમસ્કાર પુન્ય. કુલ 9 પ્રકારના પુન્યનો લાભ મળે છે. ગતભવોમાં પુન્ય કર્યું હોત તો આ ભવમાં મને જરૂર ચરિત્ર લેવાની ભાવના થઈ હોત આચાર્યશ્રી કહે છે. સ્વામી! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો છું. હે પ્રભુ! મળેલા આ ભવને હું હારી ગયો. ન સ્વર્ગમાં જઈ શક્યો કે મૃત્યુલોકમાં રહી હું દુખો રહિત બન્યો.
હું અધવચ્ચે જ લટકતો રહ્યો. ત્રિશંકુની વાત મહાભારતમાં આવે છે. હે પ્રભુ! મારી સ્થિતિ દયાજનક બની ગઈ છે. મારો મોક્ષ નથી થતો ને હું સંયમ લઈ પુન્ય પણ કરતો નથી. વિભુ! હું હારી ગયો છું મારા પર કૃપા કર. હે અરિહંત ! માત્ર તું જ મોક્ષ આપવા શક્તિમાન છે. તેથી મારા પર કૃપા કરો, દયા કરો. મને સુબુદ્ધિ આપો નાથ! મને બચાવો. હે ! વિભુ કૃપા કરો.
============================
” રત્નાકર પચ્ચીસી “
( Part -24 )
અથવા નકામું આપ પાસે, નાથ શું બકવું ઘણું? હે દેવતાના પૂજ્ય ! આ, ચારિત્ર મુજ પોતા તણું;
જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરૂ શું માત્ર આ, જ્યાં ક્રોડનો હિસાબ નહિ, ત્યાં પાઈની તો વાત ક્યાં?
વિશ્વની સમસ્ત જીવસૃષ્ટિ જે કર્મયુક્ત દશાને ભોગવી રહ્યા છે. તે સર્વનો સમાવેશ 84 લાખ જીવ યોનિમાં થાય છે.
જૈન દર્શનમાં 84 લાખ લાખ જીવયોનિનું વિધાન છે. તેનાં એકેદ્રિય એટલે કે સ્થાવર જીવોની બાવન લાખ પ્રકારની જીવ યોનિ છે. આ બાવન લાખ જીવોને માત્ર નથી. એ સિવાયના બે ઈદ્રિયથી, સંજ્ઞીપન્ચેદ્રિય સુધીના 32 લાખ જીવયોનિના જીવો બોલતા છે.
અહિંના જીવોની ભાષા આપણે સાંભળીએ છીએ. સંજ્ઞાથી જાણીએ છીએ. સ્પષ્ટ રીતે ન સમજી શકીએ. નારકીનાભાષા સાંભળવાનો આપણને કોઈ અવકાશ જ નથી. દેવની ભાષા ક્વચિત કોઈને જે સાંભળવાની મળે.
માત્ર ગર્ભ મનુષ્યની ભાષા આપણે સાંભળીએ થીએ.
પૂજ્ય રત્નાકર આચાર્ય તો મેઘાવી છે. તેઓ શાસ્ત્રાેના જાણકાર છે. આત્મહિતમાં તેઓ જ્ઞાનને લગાવી રહ્યા છે. છતાં જાણે પોતે અબૂ]ને અજ્ઞાન હોય તેટલી સમર્પણતા સાથે પરમાત્માને કહી રહ્યા છે
કે હે પ્રભુ! મારા જીવનમાં આચરેલા સર્વ પાપો, સર્વ અવગુણો આપની સમક્ષ પ્રગટ કર્યા છે. હવે આનાથી વધુ કંઈ કહેવું બકવાસ કરવા જેવું છે.
વળી
હે પ્રભુ! મારા જેવા કેટલાય પાપી અધર્મિજીવો. આપની પાસે દિલની વાતો કરવા હૈયાવરાળ કાઢે. જેઓ સંસારથી, સ્નેહીઓથી, મિત્રોથી, આત્મિયજનોથી થાકે તે બધા જ આપને શરણે આવે અને આત્માની જે કાંઇ વ્યથા હોય તે આપ સમક્ષ રજુ કરે. તે સર્વની વાત આપ વિશાળ દિલથી સાંભળો છો.
ઘણા જીવોની અંતર વ્યથા આપ સાગરવરગંભીરા બનીને સાંભળો છો. પણ પ્રભુ આપ નિરંજન, નિરાકાર, શુદ્ધ, બુદ્ધ દશાને પામતો હોવાથી સૌની વ્યથા સાંભળ્યા પછી કોઈને આશ્વાસન બે શબ્દો આપે કહ્યા નથી. છતાં આýાર્ય એ છે કે આપની સમક્ષ પાપોને પ્રગટ કરી દેવા માત્રથી દુખી સંસારી જીવ હળવો ફૂલ થઈ જાય છે. એમના પૂર્વ જન્મના પાપો ઘટી જાય છે. એની મનોભૂમિકામાં સાંત્યનાયુક્ત નવી તાજગી આવી જાય છે.
હવેથી નવા પાપો ન થઈ જાય એ માટે તારો ભક્ત સજાગ બનતો જાય છે.
શ્રી પૂજ્ય રત્નાકર આચાર્યજી કહે છે કે મેં મારા દિલના દ્વાર ખોલીને ખૂણે ખાંચરે પડેલા પાપદોષોને વીણી વીણી આપ પાસે રજૂ કર્યા, વળી હું કહું કે ન કહું’ તો પણ આપ તો આપના કેવળજ્ઞાનના ]ળહળતા વૈભવ દ્વારા બધું જ જાણો છો. તેથી હવે મારું ઘણું બોલવું નિર્થક થશે. બકવાસ કરવા જેવું લાગશે. તેથી કહું છું કે “અથવા નકામુ આપ પાસે નાથ! શું બકવું ઘણું, `જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મહારું શું માત્ર આ! હે ત્રિલોકના નાથ, પરમાત્મા! જ્ઞાનાવરણીય કર્મ સંપૂર્ણ નષ્ટ કરી,
. હે પ્રભુ! ત્રણ લોકાલોકના સ્વરૂપને જાણનાર, એમાં હું પણ આવી ગયો, આપ પવિત્ર નિર્મળ, યશસ્વી, ઓજસ્વી, ચારિત્રના કારણે ત્રણ લોકના દેવેદ્રો, નરેદ્રોના પૂજ્ય બન્યા. અને મારું જે આગળ વર્ણવ્યું તેવું દિન, હિન, કાબરચીતરું મારું ચરિત્ર! જેમાં અનેક પ્રકારના, પાપના, દંભના, ડાઘ અને ધાબાં પડેલા છે. જાણી જોઈને મેં મારા (સાધુજીવને) શ્રાવક જીવનને પાપના ધાબાઓથી કાબરચીતરું બનાવી દીધું છે. “જ્યાં ક્રોડનો હિસાબ નહીં ત્યાં પાઈની તો વાત શી!” હે પ્રભુ! આપ તો લખલૂંટ જ્ઞાનખજાનાના માલિક છો. તેથી મારા મનોગત ભાવોને જાણવા એ તો એક ક્રોડ રૂ. પાસે પાઈની વાત થઈ.
હે પ્રભુ! સમર્પણ ભાવથી નમ્રતાથી મારા પાપો આપ સમક્ષ રજૂ કર્યા છે અને મારું હૈયું હળવું કર્યું છે. હ્રદય ખાલી કર્યું છે. આપ તો સર્વ વાતો પહેલેથી જાણો છો. જૈન સહસ્ત્ર કિરણોથી સૂર્ય જગતને પ્રકાશિત કરે આખા વિશ્વના ગાઢ, ઘેરા અંધકારને હટાવે, તે સૂર્યને માટે એક નાની ]ષંપડીને પ્રકાશિત કરવાનું કામ તદ્દન સરળ ગણાય. તેમ કેવળજ્ઞાની તેવા આપને માટે મારા પાપ દોષ જાણવા તે એકદમ સામાન્ય છે. હે પ્રભુ! મારા તમામ પાપની હું ક્ષમા ચાહું છું.
==========================
” રત્નાકર પચ્ચીસી “
( Part – 25 )
ત્હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ !
મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતા જડે હે વિભુ !
મુક્તિ મંગળ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી,
આપો સમ્યગ્ રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી.
વિશ્વના આસ્તિક દર્શનોએ પરમાત્માની સર્વોપરિતા, ઉદ્ધારક્તા માની છે. વિશ્વ સામે એ માન્યતા ધરી છે. એ સિદ્ધ કરી બતાવી છે કે, વિશ્વમાં સૌથી સમર્થ વ્યક્તિ હજારો, લાખો નહિં કરોડો દૃષ્ટિકોણથી સમર્થ પરમાત્મા જ છે.
ઈશ્વર કર્તુત્વમાં માનનારા દર્શનો તો ત્યાં સુધી કહે છે કે ઈશ્વરેચ્છા વિના પાંદડુ પણ હલતું નથી.
જૈન દર્શન આત્માને અકર્તા માનતો હોવાથી સૃષ્ટિનાં કર્તા, હર્તા કે ભર્તા પરમાત્માને ન માને, છતાં કરૂણાવશ વિશ્વનાં દીન, હીન પ્રાણીઓને ધર્મનો ઉત્તમોત્તમ માર્ગ બતાવી શ્રેય સાધવા માટે પ્રરૂપણા કરે અને જીવનો ઉદ્ધાર કરે. તીર્થંકર પરમાત્માની દેશના સાંભળવા આવનાર તિર્યંચો અને મનુષ્યો અવશ્ય કંઈ ને કંઈ વ્રતપ્રત્યાખ્યાન, દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મ અંગિકાર કરી આત્માનો ઉદ્ધાર કરે.
પાપી, અધર્મી, હિંસક, નિંદક, દુરાચારીનો પણ એ સમર્થ આત્માએ ઉદ્ધાર કર્યો. એમની શક્તિ અમાપ છે. કૃપાળુ અસીમ છે અને દયાના સિંધુ છે. `ત્હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ!’ હે પ્રભુ! દીન, દુખીનો, ઉદ્ધાર કરવામાં તમારાથી વધુ સમર્થ કોઈ નથી, હે પ્રભુ! આપ ચંદ્રથી શીતળ, સૂર્યથી તેજસ્વી, સાગર કરતાં ગંભીર, પૃથ્વીથી વધુ સહનશીલ, મેરૂ કરતાં ધીર, વજરાજ કરતાં વધુ શૌર્યવંત્, ગજરાજ કરતા બળવાન, અનંત શક્તિનો પૂંજ, હે પરમાત્મા! મને સંપૂર્ણ ખાતરી છે કે તારા વિના આ વિશ્વમાં અમ જેવા દીન, દુખીના ઉદ્ધારક, બીજા કોઈ નથી. છોરૂ કછોરૂ થાય, પણ માવતર કમાવતર ન થાય. એમ કહેવાય તેથી મને તારા ચરણ કમલમાં જગ્યા આપી મારો ઉદ્ધાર કરજે.
પ્રભુ! હે વિભુ! ભવાન્તરમાં મારે ચક્રવર્ત બનવાનું હોય, અને જૈન ધર્મ ન મળવાનો હોય તો પ્રભુ એવા ચક્રવર્તી માટે નથી થવું. હે પ્રભુ મને જૈન ધર્મ આપજો,
અરિહંત પરમાત્મા મને મળે. “સંસારી જીવોનો સર્વરી સાથે વિરોધાભાસ”હે પ્રભુ! આપ સદા વિતરાગી, હું રોજનો રાગી, આપ નિર્બંધન, હું જકડાયેલો, આપ સંપૂર્ણ હું પ્રભુ અપૂર્ણ-અધૂરો, આપ નિરાભિમાની, હું માનથી ભેરલો આ કેવલજ્ઞાની.
હું સાવજ અજ્ઞાની આપ ઉપશાંતસાગર, હું ક્રોધી, હે પ્રભુ મારો ને તારો મેળ ક્યાંથી પડે! પ્રભુ! મારી પાત્રતા કઈ! આપ સર્વ શક્તિમાન છો. મારા પર કૃપા કરો. પૂજ્યશ્રી કહે છે કે પýાાતાપની પાવન ગંગામાં આત્મસ્નાન કરી પવિત્રાત્મા બનેલા શ્રી રત્નાકર આચાર્ય વિચારે છે મેં પ્રાયýિાત દ્વારા આત્મનિંદા દ્વારા, કર્મના ભારને હળવો કર્યો છે.
એ મારા માટે ઘણું છે. મને દ્રવ્ય લક્ષ્મી નથી ખપતી. મને ભાવ લક્ષ્મી મળે પ્રભુ.
હે પ્રભુ! આપ કરૂણાસાગર છો. સાગર એટલે રત્નાકર. અલબત આપ રત્નાકર છો. વિભુ! અને રત્નાકર સમક્ષ હું શું માંગુ! કોઈ સામાન્ય ચીજ શા માટે માંગુ! તું સમર્થ શક્તિશાળી છે. તારી પાસે સમ્યક્ રત્ન જ માંગું છું. જે મળવાથી મારા આત્માને સંતોષ થઈ જાય. સમ્યક રત્ન મળે તો હું અપનેઆપ સમ્યક્ચારિત્રશિલ બનીશ.
પૂજ્ય આચાર્ય ઘણા કુશળ છે, કાબેલ છે. એમણે તો પાયાની વાત જ માંગી લીધી. સમ્યક્ત્વ છે તો મોક્ષ છે જ. કાઈ પણ જૈન કે શ્રાવક જેને વિશાળ પુન્યોદયથી અરિહંત પરમાત્મા મળ્યા છે. જૈન દર્શન મળ્યું છે. તેમણે પ્રથમ અરિહંત પ્રભુને પૂર્ણ ઓળખવા જોઈએ. પ્રભુની પણ એક જ ઈચ્છા છે સર્વ જીવો, તેના ભક્તો, તેના શ્રાવકો સર્વને સમ્યક્ જ્ઞાન મળે, મોક્ષ મળે. આવા વિરલ પ્રભુ પાસે આપણે જે કર્મબંધન કરી ભાવનાઓ ભમીએ છીએ. તેમાંથી મુક્તિ મેળવવા પýાાતાપની સરિતામાં સ્થાન કરી તમામ કર્મનો મેલ કાઢી નાખીએ અને આત્માને નિર્મળ બનાવી મોક્ષને પ્રાપ્ત કરીએ.
સંપૂર્ણ
=====================
।। ‘રત્નાકર પચ્ચીસી’ ગુજરાતી કાવ્યના અમર સર્જક શામજીભાઈ હેમચંદ દેસાઈ ।।
સોરઠની ધરતી પર સલૂણું ગામ એટલે બોટાદ. બોટાદને યાદ કરીએ એટલે કવિ ઝવેરચંદ મેઘાણીનું સ્મરણ થાય. બોટાદે બીજા પણ એવા જ જૈન કવિઓ આપ્યા છે કે તેમના નામ વિનાની કૃતિઓ લાખો જૈનોના હૈયે અને હોઠે છે. તેમાંના એક તે શામજીભાઈ હેમચંદ દેસાઈ.
બોટાદના ધાર્મિક પરિવારમાં જન્મેલા શામજીભાઈ (વિ.સં. ૧૯૪૭- ૨૦૧૫) શાળાનો અભ્યાસ પૂરો કરીને ભાવનગર રહેવા ગયા. તેમનો ધાર્મિક અભ્યાસ અને ધાર્મિક વાંચન એટલા ઉંડા હતા કે તેના સંસર્ગે તેમનો અનન્ય આત્મ વિકાસ થયો. દેસાઈ પરિવારમાં અનેક મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. યુવાનીમાં તેઓ ભાવનગર રહેવા ગયા અને ત્યાંની પાઠશાળાને જ્ઞાન સમૃદ્ધ કરી. તેઓ સંસ્કૃતના પણ અચ્છા વિદ્વાન હતા.
શામજીભાઈ તે સમયે ભાવનગરમાં દરબાર ગઢ પાસેના શ્રી આદિનાથ જિનાલયની પાસે યશોવિજયજી પાઠશાળાની નીચે કાપડની દુકાન ચલાવતા. વ્યાપારની સાથે મનમાં નિરંતર તેમને કાવ્યોની સ્ફૂરણા થતી અને તેમણે અનેક સ્તવન અને સ્તુતિઓની રચના કરી. તેઓ સારા વકતા પણ હતા.
એકદા તેઓ આદિનાથ જિનાલયના ઉપલા માળે શ્રી પાશ્વેનાથ પ્રભુની પૂજા કરતા હતા. એ સમયે તેઓ મનમાં રત્નાકર પચ્ચીસીનો કાવ્ય પાઠ કરતા હતા. તેમને અચાનક સ્ફૂરણા થઈ કે આવું અદ્ભુત કાવ્ય સંસ્કૃતમાં છે અને જો તેનો ગુજરાતીમાં પદ્યાનુવાદ કરવામાં આવે તો કેવું સારૂં !
તેઓ તરત જ પોતાની દુકાનમાં આવીને કાગળ પેન લઈને બેસી ગયા. શામજીભાઈના નેત્રો સન્મુખ એ કાવ્યના રચયિતા શ્રી રત્નાકરસૂરિજી મહારાજ પ્રગટ થયા. ૧૩માં અને ૧૪માં સૈકાની વચમાં શ્રી રત્નાકરસૂરિજી મહારાજ થયા. મહાન જૈનાચાર્ય શ્રી સોમપ્રભસૂરિજી મહારાજનો તે યુગ હતો. તે સમયે તેઓ ગુજરાતના રાયખંડ વડલી નામના ગામમાં બિરાજમાન હતા.
મધ્યાહ્નનો સમય હતો. શ્રી રત્નાકરસૂરિજી મધ્યાહ્નના સમયે મોતી ને હીરા ટાંકેલા રૂમાલ જતનથી પોતાની પોટલીમાં મૂકતાં હતાં. કોઈ ધોળકાનો વેપારી તે જોઈ ગયો. એણે બીજા દિવસે પ્રવચન સમયે સૂરિજીને પરિગ્રહ વિશે પૂછયું. સૂરિજીએ ઉત્તર વાળ્યો, પણ એ ગૃહસ્થે કહ્યું કે, ‘મને આ પ્રત્યુત્તરથી સંતોષ થયો નથી.’ આવું ત્રીજા દિવસે પણ બન્યું.
બે દિવસ પછી શ્રી રત્નાકરસૂરિજી એ મોતીજડિત રૂમાલનું પડિલેહણ કરતા હતા ત્યારે એમને થયું કે મારી ખુદની પાસે પરિગ્રહ છે ને હું તો તેના માટે ત્યાગનો ઉપદેશ આપું તો બીજાને શું સમજાય ? એમણે હીરા- મોતીના ભુક્કા કરી નાંખ્યાં.
શ્રાવકે આ દૃશ્ય જોયું. વળતા દિવસે આચાર્યશ્રીએ પ્રવચનમાં અપરિગ્રહનો મહિમા કર્યો. એ શ્રાવકે રાજળ આંખે કહ્યું : ‘ જી ગુરૂદેવ ! મને સંતોષ થયો છે.’ શ્રી રત્નાકરસૂરિજીએ ત્યાર પછી આત્મપ્રક્ષાલન માટે એક અદ્ભુત ગીત રચ્યું જે આજે જૈન સંઘમાં ‘રત્નાકર પચ્ચીસી’ના નામે સુપ્રસિદ્ધ છે. તે સંસ્કૃતમાં છે.
વિ.સં.૧૩૭૧ આજુબાજુનો એ સમય હતો. શામજીભાઈ ‘રત્નાકર પચ્ચીસી’ની ગાથાઓ મનમાં રટતા હતા. તેમના હૃદયમાં ભક્તિનો અનન્ય ભાવ પ્રવાહ વહેતો હતો. તેમને થતું હતું કે આ કાવ્ય જેટલું અદ્ભુત છે તેવો જ સુંદર તેનો પદ્યાનુવાદ કરવો જોઈએ. જે તે ગાય તેના પાપ ધોવાઈ જાય, તેનો આત્મા નિર્મળ બની જાય.
સંસારમાં ભટકતો આત્મા કેવા કેવા વિચારો કરે છે ! કેવા કેવા પાપ બાંધે છે ! તે પાપબંધનમાંથી છૂટવા માટે સામાન્ય માનવી પાસે ભક્તિ સિવાય અન્ય કોઈ શરણું નથી. શામજીભાઈ આ વાત સમજતા હતા. શામજીભાઈ વિચારતા હતા કે ‘રત્નાકર પચ્ચીસી’ જેવું અન્ય કોઈ સાધન ક્યાંય નથી કે જેના રટણ માત્રથી આત્મ દીપક પ્રકાશી ઉઠે.
શામજી ભાઇએ એક સરસ પળે તેનો ગુજરાતી પદ્યાનુવાદ શરૂ કર્યો અને થોડાજ સમયમાં તેના કાવ્યો જૈનોના હોઠે રમવા માડયા. શામજીભાઈ દેસાઈએ ‘ રત્નાકર પચ્ચીસી’નું ગુજરાતીકરણ સાવ સરળ ભાવ પ્રવાહમાં વહેતું કર્યું હતું. એ શબ્દોમાં ક્યાંય કલીષ્ટતા નહોતી, એ શબ્દોમાં ક્યાંય પરંપરાગત શબ્દોની યોજના નહોતી, એ શબ્દોમાં માત્ર ભક્તિનો ધ્વનિ હતો, એ શબ્દોમાં માત્ર ભાવનાનો પ્રવાહ હતો. અને તેના કારણે ‘ રત્નાકર પચ્ચીસી’ આજે વિશ્વના લાખોના જૈનોના હોઠે હમેશાં ભગવાનની પ્રતિમા સન્મુખ ગવાઈ રહી છે.
રત્નાકર પચ્ચીસીની અત્યંત જાણીતી ગાથા વાંચો : શું બાળકો માબાપ પાસે ક્રીડા નવ કરે,ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે ? તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશુ ખોટું નથી. ‘રત્નાકર પચ્ચીસી’ આવનાર સેંકડો વર્ષો સુધી જૈન સંઘમાં ગવાતી રહેશે તે સમયે તે ભાવિકને ખ્યાલ નહીં હોય કે આ ગુજરાતી કવિ કોણ છે પણ કવિ શામજીભાઈ દેસાઈ ક્યારેય વિસરાશે નહિ, કેમકે શામજીભાઈ કાવ્યના અંતે તો પ્રભુ પાસે આટલું જ માંગે છે.
‘આપો સમ્યગરત્ન ‘શ્યામ’ જીવને તો તૃપ્તિ થાયે ઘણી !

